નવજીવન ન્યૂઝ. ખેડા: ગુજરાતનાં ખેડામાં વર્ષ 2017માં એક દંપતિની હત્યાના કેસમાં આજે કોર્ટમાં ચુકાદો આવ્યો છે જેમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. પોતાના જ સગા ભાઈ-ભાભીની હત્યાના કેસમાં 5 વર્ષથી જે કેસ ચાલી રહ્યો હતો તેમાં આજે ચુકાદો આવ્યો છે. 2017માં આ કેસ સામે આવ્યો હતો. મહુધાના અલીણા ગામમાં આરોપી વીપુલ પટણીએ આ ખૂની ખેલ ખેલ્યો હતો. જેમાં તેણે તેના જ ભાઈ-ભાભીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે પોતાના જ ભાઈ-ભાભીની હત્યાના કેસમાં આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને છેલ્લા 5 વર્ષથી આ કેસ ચાલી રહ્યો હતો. આ ઘટના તે સમયે ઘણી ચકચારી બની હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં આજે નડિયાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે.
જે તે સમયે ભાઈ-ભાભીને જમવામાં ઘેનની દવા નાખીને જ્યારે ભાઈ-ભાભી બેભાન થઈ ગયા તો આરોપીએ તેમની હત્યા કરી દીધી હતી. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગયો હતો અને તે સમયે આ કેસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આરોપીની ધરપકડ થયા બાદ 5 વર્ષ સુધી આ કેસ ચાલ્યો હતો અને આજે નડિયાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા આરોપીના ગુનાને ધ્યાનમાં રાખીને આજે તેને ફાંસીની સજા આપવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












