Saturday, May 23, 2026
HomeGeneralડેડિયાપાડાના MLA ચૈતર વસાવાને કોર્ટે સંભળાવી 6 મહિનાની સજા, જાણો શું છે...

ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાને કોર્ટે સંભળાવી 6 મહિનાની સજા, જાણો શું છે મામલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ડેડિયાપાડા: Narmada News : ગત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) મસમોટા પ્રચાર બાદ ગુજરાત AAPના માત્ર 5 ધારાસભ્યોએ ચૂંટાયા હતા, તેમાંથી પણ ચૈતર વસાવા (Chaitar Vasava) એક માત્ર એવો ચહેરો છે જે સતત ચર્ચામાં રહે છે. હવે ફરીથી ચૈતર વસાવા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, કારણ કે રાજપીપળા સેશન્સ કોર્ટ (Rajpipla Sessions Court) દ્વારા ચૈતર વસાવાને 6 મહિનાની સદી કેદ અને 10 હજાર રૂપિયાની સજા ફટકારવામાં આવી છે. 2021માં ગ્રામ પંચાયતની ચુંટણીમાં હરીફ સાથે મારપીટ કરવાનો તેમની ઉપર જે કેસ ચાલી રહ્યો હતો, તેમાં કોર્ટે તેમણે દોષિત ઠેરવીને સજા જાહેર કરી છે. જોકે તે જ સમયે તેમને જામીન પણ આપી દેવામાં આવ્યા છે, પરંતુ શરત એટલી છે કે ચૈતર વસાવાએ ફરિયાદી કે તેમના સગાસંબધિઓને મળવાનું નહીં.

શું હતો સમ્રગ મામલો

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 2021મા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હરીફ સરપંચ પદના 6 ટેકેદારો તાપણું કરી રહ્યા હતા, તે દરમિયાન હરીફ સમર્થકો પર હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ ફરિયાદી પક્ષે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ચૈતર વસાવ અને તેમના નવ સાગરિતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને સમ્રગ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. રાજપીપળા સેશન્સ કોર્ટે આ કેસમાં ચૂકાદો આપતા ધારાસભ્ય ચૈતર વસાવા સહિત વિજય વસાવા, જયરામ શાંતિલાલ, જીતેન્દ્ર, મુકેશ, ઈશ્વર અને ગણેશને દોષિત ઠેરવી 6 મહિના સાદી જેલની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

- Advertisement -

ચૈતર વસાવા અને તેના સાગરિતો પર ફરિયાદીએ મોબાઈલ અને સોનાની ચેઈન મળી 61 હજારની લૂંટની ફરિયાદ નોંધવી હતી. લૂંટ તેમજ મારામારી કેસમાં કોર્ટે તમામ આરોપીને દોષિત ઠેરવ્યા છે અને શરતી જામીન આપ્યા છે. જેમાં 2 વર્ષ સુધી તેઓને ફરિયાદીના સગાસબંધીઓને મળવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular