નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને પોતાની ભારત યાત્રાના બીજા દિવસે યુકેમાં રહેતા વોન્ટેડ લોકો પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. નીરવ મોદી, વિજય માલ્યા અને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ પર પૂછવામાં આવેલા સવાલના જવાબમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું કે, અમે અન્ય દેશોને ધમકી આપતા, ભારતને ધમકી આપતા ઉગ્રવાદી જૂથોને સહન નથી કરતા. અમે ઉગ્રવાદ વિરોધી ટાસ્ક ફોર્સની રચના કરી છે.
તેમણે કહ્યું કે પ્રત્યાર્પણના કેસોમાં કાનૂની કાર્યવાહી હોય છે જેના કારણે તે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. યુકે સરકારે તેના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો છે. અમે તે લોકોનું સ્વાગત નથી કરતા જેઓ ભારતમાં કાયદાથી બચવા માટે અમારી કાનૂની પ્રણાલીનો ઉપયોગ કરવા માંગે છે.
આ સાથે જ જ્હોન્સને યુક્રેનના મુદ્દે પણ ખુલીને વાત કરી હતી. પશ્ચિમના ગુપ્તચર અધિકારીઓના મૂલ્યાંકન પર કે યુક્રેન યુદ્ધ આવતા વર્ષના અંત સુધી ચાલી શકે છે અને રશિયા જીતી શકે છે, જ્હોન્સને કહ્યું કે તે એક વાસ્તવિક સંભાવના છે. પુતિન પાસે વિશાળ સેના છે, હવે તેમની પાસે એક જ વિકલ્પ છે કે તેઓ આર્ટિલરી લીડરશીપ હેઠળ પોતાની તાકાત ચાલુ રાખે. પુતિન યુક્રેનિયન લોકોની ભાવના પર જીત મેળવી શકશે નહીં.
જ્હોન્સને કહ્યું કે, જે રીતે માત્ર યૂક્રેનમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં જે રીતે સ્થિતિ બની રહી છે તેનાથી બ્રિટન અને ભારતને સાથે મળીને વધુ કામ કરવા માટે મજબૂર કરી રહ્યું છે. રશિયા પર ભારતની સ્થિતિ જગજાહેર છે. તે બદલાવાનું નથી. તેમણે કહ્યું કે બ્રિટન આવતા અઠવાડિયે યુક્રેનના કિવમાં તેના દૂતાવાસને ફરીથી ખોલશે. બ્રિટન અને આપણા સાથી પક્ષો નિષ્ક્રિય નહીં રહે કારણ કે પુતિન આ હુમલો કરી રહ્યા છે. સાથે જ જ્હોન્સને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મેં અમારા વાટાઘાટકારોને દિવાળી સુધીમાં મુક્ત વેપાર કરારની વાટાઘાટો પૂર્ણ કરવા જણાવ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











