Thursday, April 16, 2026
HomeGujaratહજુ અંબાજીનો મોહનથાળ થાળે પડ્યો નથી ત્યાં 'પાવાગઢ મંદિર'નો મોટો નિર્ણય

હજુ અંબાજીનો મોહનથાળ થાળે પડ્યો નથી ત્યાં ‘પાવાગઢ મંદિર’નો મોટો નિર્ણય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પંચમહાલઃ Pavagadh News: અંબાજી મંદિરમાં પ્રસાદને (Ambaji Mohanthal controversy) લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મોહનથાળની જગ્યાએ ચીક્કીનો પ્રસાદ આપવામાં આવતા ભક્તો દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વધુ એક મંદિરમાં વિવાદીત નિર્ણય કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ મંદિરમાં ટ્રસ્ટ (Pavagadh Temple) દ્વારા માતાજીને ચઢાવવામાં આવતા શ્રીફળને લઈને તુઘલકી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાવાગઢ મંદિરે નિર્ણય કર્યો છે કે હવેથી પાવાગઢ મંદિર પરિસરમાં છોલેલું શ્રીફળ નહીં લઇ જઇ શકાય.

પ્રાપ્ત વિગત અનુસાર, પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પાવાગઢ મંદિર પરિસરમાં છોલેલું શ્રીફળ લઈ જવામાં પર પ્રતિબંધ લગાવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતાને ધ્યાનમાં લઈને આ પ્રકારનો નિર્ણય કર્યો હોવાનું જણાવાયું છે. ભક્તો છોલ્યા વગરનું શ્રીફળ મંદિરમાં લાવીને માતાજીને ધરાવી શકશે અને ચૂંદડી સાથે તેને ઘર લઈ શકશે. આ શ્રીફળ ઘરમાં ચુંદડી બાંધીને મૂકવા અથવા શ્રીફળને ઘરે લઈ જઈને વધેરી પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અંબાજીમાં ઠેર-ઠેર લાગ્યા બેનરઃ”ચિક્કી નાબુદ કરો, મોહનથાળ ચાલુ કરો”

- Advertisement -

ઉપરાંત પાવાગઢ મંદિરની આસપાસ કોઈ વેપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો તે વેપારી સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરવામાં આવશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેવામાં આવશી નહીં. જોકો કોઈ સિક્યુરિટી સાથે તકરાર કરશે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આજે શ્રીફળને લઈને સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય આગામી 20 માર્ચ સોમવારથી લાગુ પડશે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને લઈને વેપારી અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Tag: Pavagadh News , Pavagadh Temple controversy

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular