Sunday, July 13, 2025
HomeGujaratAhmedabadલંડન જતી એર ઇન્ડિયાની Flight AI171 અમદાવાદમાં ક્રેશ, વિજય રુપાણી હતા પ્લેનમાં,...

લંડન જતી એર ઇન્ડિયાની Flight AI171 અમદાવાદમાં ક્રેશ, વિજય રુપાણી હતા પ્લેનમાં, 100 લોકોના મોતની શક્યતા

- Advertisement -

આજે ગુરુવારે બપોરે 1:40 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ કર્યા બાદ અચાનક જ ક્રેશ થઇ ગઇ હતી. આ વિમાન અમદાવાદના મેઘાણીનગર આઇજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થયું હતું. જાણવા મળ્યું છે કે આ વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પણ સવાર હતા. આ પ્લાન દુર્ઘટનામાં 100 લોકોના મોતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિમાનમાં 242 મુસાફરો સવાર હતાં.

ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ સહિતની એજન્સીઓ દ્વારા બચાવી કામગીરી શરુ કરવામાં આવી છે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular