Monday, April 27, 2026
HomeNationalમુંબઈ-અમદાવાદ હાઈવે પર એક જ જગ્યાએ બે માર્ગ અકસ્માતમાં 6ના મોત

મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક જ જગ્યાએ બે માર્ગ અકસ્માતમાં 6ના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈઃ મુંબઈ-અમદાવાદ હાઈવે ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મોત થયું હતું. હવે સોમવાર અને મંગળવાર વચ્ચે આ હાઈવે પર આમગાંવ ફ્લાયઓવર પર 24 કલાકની વચ્ચે બે માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. ખાસ વાત એ છે કે પાલઘર પોલીસે આ મામલે રોડ રિપેરિંગ કોન્ટ્રાક્ટ કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ વર્ષે આ રોડ પર લગભગ 262 માર્ગ અકસ્માતો થયા છે, જેમાં 62 લોકોએ જીવ ગુમાવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 19 સપ્ટેમ્બરની સાંજે પાલઘરમાં ગુજરાત બોર્ડર પાસે આમગાંવ નાકા પર બનેલા પુલ પર પ્રથમ અકસ્માત થયા બાદ મનોરથી વાપી સુધીના રસ્તાના જાળવણીનો કોન્ટ્રાક્ટ ધરાવતી આર.કે. જૈન ઇન્ફ્રા કંપનીને તાત્કાલિક ખાડઓ ભરવા માટે જાણ કરવામાં આવી હતી. પરંતુ તેમણે ખાડોઓ ન ભર્યા. પરિણામે બીજા દિવસે ત્યાં અકસ્માત થયો હતો.

- Advertisement -

પાલઘર એસપી પોલીસ બાલાસાહેબ પાટીલે કહ્યું કે હવે માહિતી આપ્યા પછી પણ જો કોઈ કામ ન થઈ રહ્યું હોય, તો અમે સંબંધિત કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવીને IPC 304A હેઠળ કેસ નોંધ્યો છે. 4 સપ્ટેમ્બરના રોજ ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું આ જ મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. માર્ગ સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સૂર્યા નદીના પુલ પર દુર્ઘટના રોડની ખરાબ ડિઝાઇનનું પરિણામ છે. ત્યાં 3 લેન રોડ અચાનક બે લેનમાં ફેરવાઈ જાય છે. મર્સિડીઝ બેન્ઝ કંપનીના પ્રાથમિક અહેવાલ મુજબ કાર ચાલકને માત્ર 5 સેકન્ડનો સમય મળ્યો જે અપૂરતો હતો.

પાલઘર એસપીએ જણાવ્યું કે અકસ્માત પહેલા કારની સ્પીડ 100 હતી અને જેમ જ તેમને ખબર પડી કે આગળ બ્લોકેજ છે, ત્યારે 5 સેકન્ડમાં સ્પીડ ઘટીને 89 થઈ ગઈ. અથડામણ સમયે ઝડપ 89 કિલોમીટર પ્રતિ કલાક હતી. અગાઉ ત્યાં કોઈ માહિતી બોર્ડ નહોતું. દુર્ઘટના બાદ હવે તેને ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી ખરાબ ડિઝાઇન અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પાલઘરના એસપીનું કહેવું છે કે પાલઘર પોલીસે નેશનલ હાઈવે ઓથોરિટીને સૂર્યા પુલ પર હાઈવે પરના રસ્તાની નબળી ડિઝાઈન અને માહિતી બોર્ડની ગેરહાજરી અંગે લેખિતમાં જાણ કરી છે. બ્લેક સ્પોટ વિશે પણ માહિતી આપવામાં આવી છે. આ સાથે સેન્ટ્રલ એજન્સીને રોડનું ઓડિટ કરવા પણ લખવામાં આવ્યું છે. રોડ ઓડિટ માટે કેન્દ્રીય એજન્સી એકમાત્ર અધિકૃત અને નિષ્ણાત છે, તેનો રિપોર્ટ મળ્યા બાદ જો રોડની ડિઝાઇનમાં ખામી હશે તો હાઇવે ઓથોરિટીના સહયોગથી તેને સુધારવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular