Monday, June 29, 2026
HomeGeneralખેડૂતોને કચડવા બદલ લખીમપુર ખેરી કેસમાં મુક્ત આશિષ મિશ્રાના જામીનને સુપ્રીમ કોર્ટમાં...

ખેડૂતોને કચડવા બદલ લખીમપુર ખેરી કેસમાં મુક્ત આશિષ મિશ્રાના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં ખેડૂતોને કારથી કચડી નાખવાના કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર અને મુખ્ય આરોપી આશિષ મિશ્રાના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલતમાં આરોપી આશિષ મિશ્રાના જામીન રદ કરવા અને અલ્હાબાદ હાઈકોર્ટના જામીન આપવાના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી છે. લગભગ ચાર મહિના સુધી જેલમાં રહેલા આશિષ મિશ્રાને હાલમાં જ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

અરજીકર્તા, એડવોકેટ શિવ કુમાર ત્રિપાઠી અને સીએસ પાંડાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, નિર્ભયતાથી નાસતા ફરતા આરોપીઓ પાસેથી પુરાવા સાથે ચેડા થવાની શક્યતા છે. સાક્ષીઓ, ખેડૂતો અને પીડિતોના પરિવારો જોખમમાં છે. અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ અનુમાન પર આધારિત છે. એસઆઈટીને તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનું કહેવું જોઈએ. યુપી/કેન્દ્ર સરકારને તાત્કાલિક પીડિતોને વળતર આપવા માટે નિર્દેશ આપવો જોઈએ.

- Advertisement -



લખીમપુર ખેરી હિંસા કેસના મુખ્ય આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા જામીન પર મુક્ત થઇને જેલની બહાર આવી ગયા છે. ખેડૂતોને પોતાની જીપથી કચડી નાખવાના આરોપી આશિષ મિશ્રાને પાંચ દિવસ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે જામીન આપ્યા હતા. આ કેસમાં ઉત્તર પ્રદેશની SITએ 5 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આશિષ મિશ્રાના જામીન માટેના આદેશમાં અલ્હાબાદ હાઈકોર્ટે પોલીસને સવાલ કરતા કહ્યું હતું કે, એફઆઈઆરમાં આશિષ મિશ્રાને શૂટર તરીકે વર્ણવવામાં આવ્યો હતો, પરંતુ ગોળીઓથી કોઈને ઈજા થઈ ન હતી.

કોર્ટે કહ્યું કે, “કેસના તથ્યો અને સંજોગોને સંપૂર્ણપણે ધ્યાનમાં રાખીને, તે સ્પષ્ટ છે કે એફઆઈઆર મુજબ, આશિષ મિશ્રાએ પ્રદર્શનકારીઓને મારવા માટે ફાયરિંગ કર્યું હતું, પરંતુ તપાસ દરમિયાન, કોઈ પણ મૃતક અથવા કોઈપણ ઘાયલ વ્યક્તિના શરીર પર ગોળીની ઈજા મળી નથી.” આ પછી, ફરિયાદી પક્ષે આરોપ લગાવ્યો હતો કે આશિષે વાહનના ડ્રાઇવરને પ્રદર્શનકારીઓને કચડી નાખવા માટે ઉશ્કેર્યો હતો. જો કે, વાહનમાં સવાર અન્ય બે લોકો સાથે ડ્રાઇવરનું પ્રદર્શનકારીઓએ મોત નીપજાવ્યું હતું. એ પણ સ્પષ્ટ છે કે તપાસ દરમિયાન આશિષને નોટિસ ફટકારવામાં આવી હતી અને તે તપાસ અધિકારી સમક્ષ હાજર થયો હતો. તે પણ સ્પષ્ટ છે કે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે.”

- Advertisement -



આવા સંજોગોમાં, આ કોર્ટનો અભિપ્રાય એવો છે કે અરજદાર જામીન પર મુક્ત થવા માટે હકદાર છે. વ્યક્તિગત બોન્ડ અને સંબંધિત અદાલતના સંતોષ માટે સમાન રકમની બે વિશ્વસનીય ખાતરીઓ સાથેની શરતો પર મુક્ત કરવામાં આવશે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular