નવજીવન ન્યૂઝ. વલસાડ: વલસાડમાં હાલ મહેસૂલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહેસૂલ મેળામાં ભાગ લેવા માટે આજે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ પહોંચ્યા હતા, ત્યારે તેમની હાજરીમાં જ એક વૃદ્ધે મામલતદરને જાહેરમાં ખખડાવી કાઢ્યા અને મામલતદરને મારી નાખવાની ધમકી આપી હતી.
ખરેખર ઘટના એવી હતી કે આ વૃદ્ધ જેમનું નામ હોલિયાભાઈ ઘોડી છે તે છેલ્લા ઘણા સમયથી પોતાની જમીનના પ્રશ્નને લઈને મામલતદાર કચેરીના ધક્કા ખાય છે. તેમણે આ અંગે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને પણ રજૂઆત કરી હતી. છતાં તેમના પ્રશ્નનું નિરાકરણ ન આવતા તેમણે જાહેરમાં ઉમર ગામના મામલતદાર પ્રતિક જાખડ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
વૃદ્ધની ફણસા ખાતેની જમીનનો કેસનો ઉકેલ ન આવતા વૃદ્ધ અકળાયા હતા. તેમણે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને રજૂઆત કરી હતી. તેમ છતાં વૃદ્ધની સમસ્યાનું નિવારણ ન આવ્યું તેવા તેમણે આક્ષેપ કર્યા છે. જેથી તેઓ મેળામાં જ મામલતદાર પર બરોબરના બગડ્યા અને મેળામાં મંત્રીની સામે જ મામલતદારને ખખડાવ્યા હતા.
આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે આ વૃદ્ધ મંત્રીની સામે પોતાની રજૂઆત કરી રહ્યા છે અને ત્યાર બાદ એકાએક મામલતદાર સામેનો પોતાનો રોષ જાહેરમાં જ વ્યક્ત કરી રહ્યા છે. તેમણે મંત્રીની સામે જ જાહેરમાં બોલે છે કે બીજા ખેડૂતોની જમીન છોડી શકાય છે તો મારી કેમ નહીં. મામલતદાર કચેરીમાં જ મામલતદરને જાનથી મારી નાખીશ. બધાની સામે જ બોલું છું જાનથી મારી નાખીશ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












