Friday, July 31, 2026
HomeNationalદિલ્હી પોલીસ અને સુરક્ષા દળોના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ કરી, 20 જુલાઈની હિંસા...

દિલ્હી પોલીસ અને સુરક્ષા દળોના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ કરી, 20 જુલાઈની હિંસા અંગે રજૂ કર્યો પોતાનો પક્ષ

- Advertisement -

Delhi Protest case: દિલ્હી પોલીસ (Delhi Police) અને સુરક્ષા દળોના પરિવારજનોએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party)ના જંતર-મંતર (Jantar Mantar) પ્રદર્શન અને 20 જુલાઈના સંસદ માર્ચ (Parliament March) દરમિયાન થયેલી હિંસા અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો. પરિવારજનોએ આરોપ લગાવ્યો કે આ ઘટનામાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, પરંતુ તેમની પીડા અંગે પૂરતી ચર્ચા થઈ નથી.

પરિવારજનોએ જણાવ્યું કે આ પ્રદર્શન અને સંસદ માર્ચ દરમિયાન 148થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાંથી અનેકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- Advertisement -

દિલ્હી પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટર (SI)ની દીકરી ગુંજને જણાવ્યું કે તેમના પિતા મુખ્ય પ્રદર્શન સ્થળે ફ્રન્ટલાઈન પર તૈનાત હતા. તેઓ ઘરે આવીને વારંવાર કહેતા હતા કે આ હવે માત્ર વિદ્યાર્થીઓનું પ્રદર્શન રહ્યું નથી અને તેમાં અસામાજિક તત્વો પણ જોડાઈ ગયા છે.

ગુંજનના જણાવ્યા મુજબ, 20 જુલાઈની રાત્રે તેમના પિતાના સાથીઓ તેમને ઘરે લઈને આવ્યા હતા. તેમના માથા પર પાંચ ટાંકા હતા અને તેમની વર્દી લોહીથી લથપથ હતી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર તેમના પિતાને જ ગુનેગાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યા હતા, જ્યારે તેમના પર હુમલો કરનારા લોકો જ પોલીસ સામે સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચ્યા હતા. ત્યારબાદ તેમના પરિવારે પણ પોતાનો પક્ષ રજૂ કરવા કોર્ટનો સંપર્ક કર્યો હતો.

ઘાયલ એએસઆઈ (ASI)ની પત્ની સીમાએ જણાવ્યું કે 20 જુલાઈની સાંજે જ્યારે તેમણે પતિને ફોન કર્યો ત્યારે ખબર પડી કે તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ પતિએ કહ્યું હતું કે ભીડમાં રહેલા તોફાની તત્વોએ પથ્થરો અને અન્ય હથિયારો વડે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.

- Advertisement -

સીમાએ જણાવ્યું કે રાત્રે 11 વાગ્યે જ્યારે તેમના પતિ ઘરે પરત ફર્યા ત્યારે ડ્યુટી દરમિયાન પહેરેલું હેલ્મેટ સંપૂર્ણપણે તૂટી ગયું હતું. તેમણે સંસદમાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારોના અધિકારો તેમજ તેમના પર થયેલા હુમલાઓ અંગે પણ ચર્ચા કરવાની અપીલ કરી હતી.

ઘાયલ એએસઆઈના પુત્ર લક્ષ્ય સિંહ બિષ્ટે જણાવ્યું કે તેમના પિતાને બહાદુરી બદલ ચાર સન્માન મળી ચૂક્યા છે અને તેમના દાદા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (Border Security Force – BSF)માં રહી 1971ના યુદ્ધમાં પણ સેવા આપી ચૂક્યા હતા.

તેમણે જણાવ્યું કે જંતર-મંતરના પ્રદર્શન દરમિયાન તેમના પિતા ફ્રન્ટલાઈન પર તૈનાત હતા. બાદમાં તેમને સાથીઓ પાસેથી ખબર પડી કે તેમના પિતાના માથામાં ગંભીર ઈજા થઈ છે. હોસ્પિટલમાં જ્યારે તેમણે પિતાને જોયા ત્યારે તેમના માથા પર ચાર ટાંકા હતા. તેમના જણાવ્યા મુજબ પિતાએ કહ્યું હતું કે પ્રદર્શનમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ હિંસક અને ઉપદ્રવી તત્વો પણ સામેલ હતા અને વરિષ્ઠ અધિકારીઓને સુરક્ષિત સ્થળે લઈ જતી વખતે તેમના માથા પર પથ્થર વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

- Advertisement -

હવે આને લઈને સોશ્યલ મીડિયા પર તો જોરદાર ધમાસાણ થઈ ગયું છે. એક તરફ લોકો પોલીસ કર્મચારીઓ-અધિકારીઓના પરિવારની વાતને ટેકો કરી રહ્યા છે તો બીજી તરફ પોલીસની જંતરમંતર પર થયેલી બર્બરતાને લોકો અયોગ્ય કહી રહ્યા છે. આવા સંજોગોમાં હવે લોકોમાં વૈચારીક ધમાસાણ જોવા મળી રહ્યું છે. હવે ખરા અર્થમાં તમે શું માનો છો તમારો મત પણ વિવેકી ભાષામાં જરૂર કોમેન્ટ કરીને જણાવજો.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular