નવજીવન. પણજી: 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટી (AAP) એ અમિત પાલેકરને ગોવાની ચૂંટણી માટે પોતાના સીએમ ચહેરા તરીકે જાહેર કર્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે આ જાહેરાત કરી હતી. અમિત પાલેકર વ્યવસાયે વકીલ છે. તેઓ ગયા વર્ષે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
AAP કન્વીનર કેજરીવાલે કહ્યું કે, “ગોવા માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગોવાના લોકો પરિવર્તન ઈચ્છે છે. લોકો હાલના પક્ષો અને નેતાઓથી કંટાળી ગયા છે. કેટલાક નેતાઓએ ગોવાના રાજકારણ પર કબજો જમાવ્યો છે. પૈસાથી સત્તા અને સત્તામાંથી પૈસા.. જો સત્તામાં આવ્યા તો , તેઓ ઘણા પૈસા કમાય છે. તે પૈસાથી તેઓ સત્તામાં પાછા આવે છે. આ બદલવું પડશે. ગોવા પરિવર્તનની માંગ કરી રહ્યું છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












