Friday, June 5, 2026
HomeNationalPM મોદીના આવાસ ઉપર ડ્રોન દેખાતા SPG અને પોલીસમાં દોડધામ મચી, તમામ...

PM મોદીના આવાસ ઉપર ડ્રોન દેખાતા SPG અને પોલીસમાં દોડધામ મચી, તમામ એજન્સીઓ તપાસમાં લાગી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સોમવારે સવારે વડા પ્રધાનના નિવાસસ્થાન (PM House) ઉપર ડ્રોન(DroneSPG) ઉડ્યાના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો. SPG એ આ અંગે દિલ્હી પોલીસને (Delhi Police) જાણ કરી, માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી. મળતી માહિતી મુજબ, SPGએ સોમવારે સવારે લગભગ 5 વાગે દિલ્હી પોલીસને આ મામલાની જાણકારી આપી હતી. માહિતી મળતાની સાથે જ દિલ્હી વિસ્તારમાં વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ ડ્રોનની શોધ શરૂ કરી હતી. જો કે આ સમાચાર લખાય છે, ત્યાં સુધી ડ્રોન મળ્યું નથી.

હાલ પોલીસ ડ્રોનને શોધી રહી છે. વડાપ્રધાન આવાસ અને તેની આસપાસનો વિસ્તાર નો-ફ્લાઈંગ ઝોનમાં આવે છે. સોમવારે સવારે, NDD કંટ્રોલ રૂમને PMના નિવાસસ્થાનની નજીક એક અજાણી ઉડતી વસ્તુની માહિતી મળી હતી. આજુબાજુના વિસ્તારોમાં ઘણી શોધખોળ કરવામાં આવી પરંતુ કોઈ વસ્તુ મળી ન હતી. એર ટ્રાફિક કંટ્રોલ રૂમ (ATC)નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, તેઓને પણ PMના નિવાસસ્થાન નજીક આવી કોઈ ઉડતી વસ્તુ મળી ન હતી.

- Advertisement -

નવી દિલ્હીના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ડૉ. હેમંત તિવારીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાનના આવાસની ઉપરના નો-ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડાવવાની માહિતી મળી હતી. SPGએ સવારે 5:30 વાગ્યે પોલીસનો સંપર્ક કર્યો. હાલમાં તપાસ ચાલી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular