Sunday, June 28, 2026
HomeGeneralનીતિશ કુમાર મહાગઠબંધનના નેતા ચૂંટાયા, નવી સરકારનો દાવો રજૂ કરશે

નીતિશ કુમાર મહાગઠબંધનના નેતા ચૂંટાયા, નવી સરકારનો દાવો રજૂ કરશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પટના: બિહાર રાજકીય સંકટ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. મંગળવારે સવારે જેડીયુના ધારાસભ્યો અને સાંસદોની બેઠક બાદ નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. આ પછી આરજેડી-કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો સાથે ફરી સરકાર બનાવવાની તેમની અટકળોને સમર્થન મળ્યું. નીતીશ કુમારે મંગળવારે બપોરે લગભગ 3.45 વાગ્યે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળવા માટે નીકળ્યા હતા. તેઓ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનથી લગભગ 500 મીટર દૂર રાજભવન ગયા, રાજ્યપાલને મળ્યા અને રાજીનામું સુપરત કર્યું.

નીતિશ જ્યારે રાજભવન પહોંચ્યા ત્યારે સમર્થકોની મોટી ભીડ ‘ઝિંદાબાદ’ ના નારા લગાવી રહી હતી. નીતીશ કુમાર બાદમાં તેજસ્વી યાદવને મળવા બિહારના પૂર્વ સીએમ રાબડી દેવીના નિવાસસ્થાને રવાના થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાબડી દેવીના ઘરની બહાર નીકળ્યા બાદ તેજસ્વી અને નીતિશ કુમાર એકસાથે બહાર આવ્યા હતા. આ પછી રાષ્ટ્રીય જનતા દળ, ડાબેરી પક્ષ અને કોંગ્રેસના ધારાસભ્યો સીએમ આવાસ પહોંચ્યા. જ્યાં નવા ગઠબંધનના ધારાસભ્ય પક્ષોની બેઠક શરૂ થઈ હતી. જેમાં નીતીશ કુમાર મહાગઠબંધનના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. નીતિશ કુમારે ફરી એકવાર આરજેડી નેતા તેજસ્વી યાદવ સાથે રાજભવન જઈ રહ્યા છે. લલ્લન સિંહ, જીતનરામ માંઝી, અજીત શર્મા પણ રાજભવન ગયા છે.

- Advertisement -

અગાઉ જેડીયુ ધારાસભ્ય દળની બેઠકમાં નીતિશ કુમારે ભાજપ પર તેમને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ તેમણે તેમની પાર્ટીને તોડવાનો પણ આક્ષેપ કર્યો હતો. વર્ષ 2017 સુધી આરજેડીના તેજસ્વી યાદવ અને તેમના ભાઈ તેજ પ્રતાપ યાદવ નીતિશ કુમારની સરકારમાં મંત્રી હતા. આ સરકાર જેડીયુ, લાલુ યાદવની પાર્ટી આરજેડી અને કોંગ્રેસની મદદથી બની હતી. નીતીશ કુમારે ભાજપ સાથે નાતો ખતમ કરીને આ ગઠબંધન કર્યું હતું. બાદમાં તેમણે તેજસ્વી અને તેમના ભાઈ તેજ પ્રતાપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને જોડાણ તોડી નાખ્યું અને ભાજપમાં પાછા ફર્યા.

બિહારમાં સત્તા પર રહેલી જનતા દળ યુનાઇટેડ (JDU) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. નીતિશ કુમારનું માનવું હતું કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સતત JDUમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. નીતિશ કુમારે પાર્ટીના પૂર્વ નેતા આરસીપી સિંહ પર અમિત શાહના પ્યાદા તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. JDU દ્વારા ભ્રષ્ટાચારના આરોપો બાદ RCPએ ગયા અઠવાડિયે JDUમાંથી રાજીનામું આપ્યું હતું. વર્ષ 2017માં, RCP નીતિશ કુમારના પ્રતિનિધિ તરીકે JDU ક્વોટામાંથી કેન્દ્રીય કેબિનેટમાં જોડાયા હતા. બાદમાં નીતિશ કુમાર તેમનો રાજ્યસભાનો કાર્યકાળ વધાર્યો ન હતો, જેના કારણે RCPએ કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ 243 બેઠકોમાંથી 45 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને 77 બેઠકો મળી હતી. જેડીયુએ ઓછી બેઠકો જીતી હોવા છતાં ભાજપે નીતિશને મુખ્યમંત્રી બનાવીને રાજ્યની કમાન તેમના હાથમાં સોંપી દીધી હતી. બિહાર વિધાનસભા ચૂંટણી 2020 માં, રાષ્ટ્રીય જનતા દળ 79 બેઠકો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 19 બેઠકો જીતી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular