નવજીવન ન્યૂઝ. સુરતઃ મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલના સંકેત દેખાઈ રહ્યા છે. સોમવારે એમએલસી ચૂંટણીમાં ભાજપે શિવસેનાના નેતૃત્વવાળા એમવીએ ગઠબંધનને ફરી એક ઝટકો આપ્યો અને મંગળવારે શિવસેનાના 10-12 ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા. આ સાથે ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. આ બનાવને લઈને ઉદ્ધવ ઠાકરેએ આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિવસેનાના 10-12 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે સુરતની હોટલમાં છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ગઈ કાલે જંગી ક્રોસ વોટિંગ થયું હતું. 10 બેઠકો માટે સોમવારે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ મહા વિકાસ આઘાડી (MVA)ને ફરી એક ઝટકો લાગ્યો છે. જ્યારે ભાજપે એકલા પાંચ બેઠકો જીતી હતી, શિવસેના અને એનસીપીએ બે-બે બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી.
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીના પરિણામોથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ચિંતિત છે, પરંતુ હવે તેમની સરકારના એક મંત્રીએ તેમની મુશ્કેલી વધારી દીધી છે. સમાચાર મુજબ કેબિનેટ મંત્રી એકનાથ શિંદે શિવસેનાના સંપર્કમાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 12 ધારાસભ્યો સાથે ગુજરાતના સુરત પહોંચી રહ્યા છે. શિંદે ઠાકરે પરિવારથી નારાજ છે. બીજી તરફ વિધાન પરિષદની ચૂંટણીના પરિણામથી નારાજ સીએમ ઉદ્ધવે આજે ધારાસભ્યોની બેઠક પણ બોલાવી છે.
એકનાથ શિંદે અને શિવસેનાના 10-12 ધારાસભ્યો રાતથી સંપર્કમાં નથી. ઉદ્ધવ ઠાકરેએ આજે વર્ષા બંગલે શિવસેનાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આવી સ્થિતિમાં જો આ ધારાસભ્યો ત્યાં નહીં પહોંચે તો મહાવિકાસ આઘાડી સરકાર માટે મુશ્કેલ બની શકે છે. શિંદે તેમના સમર્થક ધારાસભ્યો સાથે રાતથી જ મુંબઈની બહાર હોવાનું કહેવાય છે. તેઓ સુરતની એક હોટલમાં રોકાયા હોવાના અહેવાલ છે અને ભાજપના સંપર્કમાં છે.
સુરત પોલીસને રાત્રે 2 વાગે માહિતી મળી હતી કે શિવસેનાના ધારાસભ્ય સુરતમાં આવી રહ્યા છે. જેથી તેમને રક્ષણ આપવાનું છે. પોલીસને માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટિમે સુરતની લા મેરેડિયન હોટલની ફરતે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રથી આવેલા ધારાસભ્યને હજી સુધી ભાજપના કોઈ પણ નેતા મળવા માટે પહોંચ્યા નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











