નવજીવન. હરિયાણાઃ હરિયાણાના ભિવાની જિલ્લાના તોશામ બ્લોકમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. જાણવા મળ્યુ છે કે ખનન કામની કામગીરીમાં રોકાયેલા લગભગ એક ડઝન વાહનો દાદમ ખાણ વિસ્તારમાં ભૂસ્ખલનમાં દટાયા હતા. બે લોકો માર્યા ગયા હતા, જ્યારે લગભગ 10થી 15 લોકો લાપતા હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ ખળભળાટ મચી ગયો હતો. ઘટના સ્થળે અંધાધૂંધી ફેલાઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને અત્યાર સુધીમાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તોશામ બ્લોકના દાદમ ખાણ વિસ્તારમાં પર્વતનો મોટો ભાગ ધરાશાયી થયો હતો જેના કારણે ભૂસ્ખલન થયું હતું.
કૃષિ મંત્રી જે.પી.દલાલ રાહત કાર્યનો તાગ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચ્યા છે. પર્વતની સ્લાઇડના કારણો હજી સુધી જાણી શકાયા નથી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ વિસ્તારમાં ખનન કામની કામગીરી પરના પ્રતિબંધો હટાવ્યા બાદથી દાદમ ખાણ વિસ્તાર અને ટેકરીમાં મોટા પાયે ખનન પ્રવૃત્તિઓ વ્યાપક પણે ચાલી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












