નવજીવન ન્યુઝ.સુરત: તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ પુષ્પાનો ક્રેઝ ભારત સહિત વિદેશમાં પણ ચાલી રહ્યો છે. આ ફિલ્મના ડાયલોગ સામે વિડીયો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. ભારતીય ક્રિકેટેર્સ સાથી વિદેશી ખેલાડીઓ પણ આ ફિલ્મના ડાયલોગના વિડ્યો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે. ત્યારે સુરત પોલીસે પણ પુષ્પા ફિલ્મના ડાયલોગ વાડી પોસ્ટ ફેસબુક ઉપર કરી છે.
સુરત પોલીસે તેમના ફેસબુક પર અનોખી પોસ્ટ મૂકી છે. જેમાં અલ્લુ અર્જુનનું ફિલ્મનો ડાયલોગ અને તેનો ફોટો મૂકવામાં આવ્યો છે. પોસ્ટમાં ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં સુરત પોલીસ જણાવે છે કે આપણાં શહેરમાં કઇપણ ગેરકાયદે દેખાય તો ઝૂકશો નહીં 100 ડાયલ કરો.
સુરત શહેર પોલીસ દ્વારા સુરતવાસીઓને પડતી સમસ્યાઓના નિવારણ માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ ફેસબુક અને ટ્વિટર દ્વારા લોકોના પ્રશ્નોના નિરાકરણ લાવવાનો સતત પ્રયાસ કરે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












