Friday, May 1, 2026
HomeGeneral'સ્પાઈસજેટ સુરક્ષિત, વિશ્વસનીય હવાઈ સેવા સ્થાપિત કરવામાં વિફળ રહ્યું…'- ઉડ્ડયન નિયામકે જવાબ...

‘સ્પાઈસજેટ સુરક્ષિત, વિશ્વસનીય હવાઈ સેવા સ્થાપિત કરવામાં વિફળ રહ્યું…’- ઉડ્ડયન નિયામકે જવાબ માગ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ સ્પાઈસજેટ વિમાનથી જોડાયેલી ઘણી ઘટનાઓ સામે આવ્યા પછી ઉડ્ડયન નિયામકે એરલાઈન્સ પાસે સ્પષ્ટીકરણ માગ્યું અને કહ્યું કે સ્પાઈસજેટ સુરક્ષિત, વિશ્વસનીય હવાઈ સેવા સ્થાપિત કરવામાં વિફળ રહ્યું છે. ડીજીસીએ (Directorate General of Civil Aviation)એ ગત 18 દિવસોમાં ટેક્નીકલ ખરાબીની આઠ ઘટનાઓ પછી સ્પાઈસ જેટને કારણ દર્શક નોટિસ ઈશ્યૂ કરી છે.

આજે પણ, એરલાઈન સ્પાઈસજેટે જણાવ્યું હતું કે તેનું એક કાર્ગો એરક્રાફ્ટ મંગળવારે કોલકાતા પરત ફર્યું હતું કારણ કે હવામાનશાસ્ત્રીય રડાર કાર્યરત નથી. ચીનના ચોંગકિંગ શહેર માટે જનારા પ્લેનના પાયલોટને ટેકઓફ કર્યા પછી જ ખબર પડી કે તેનું હવામાનશાસ્ત્રીય રડાર કામ કરી રહ્યું નથી. છેલ્લા 18 દિવસમાં સ્પાઈસ જેટના એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીનો આ આઠમો કિસ્સો છે.

- Advertisement -

સ્પાઈસ જેટની દિલ્હી-દુબઈ ફ્લાઈટ મંગળવારે ઈંધણ સૂચકમાં ખામીને કારણે કરાચી તરફ વાળવામાં આવી હતી. તે જ સમયે, તેમના ગુજરાતના કંડલાથી મુંબઈના વિમાનને મધ્ય હવામાં વિન્ડશિલ્ડમાં તિરાડ પડતાં મહારાષ્ટ્રની રાજધાનીમાં પ્રાથમિકતા પર લેન્ડ કરવામાં આવ્યું હતું.

સ્પાઈસજેટના પ્રવક્તાએ બુધવારે પીટીઆઈને જણાવ્યું, “5 જુલાઈ, 2022ના રોજ, સ્પાઈસજેટ બોઈંગ 737 કાર્ગો પ્લેન કોલકાતાથી ચોંગકિંગ જવાનું હતું. પ્લેન ટેકઓફ થયા બાદ હવામાનશાસ્ત્રીય રડાર હવામાનની માહિતી આપી રહ્યું ન હતું. ત્યારપછી, પીઆઈસી (પાયલોટ-ઈન-કમાન્ડ) એ કોલકાતા પાછા ફરવાનું નક્કી કર્યું. પ્લેન કોલકાતામાં સુરક્ષિત લેન્ડ થયું છે.
(અહેવાલ આભારસઃ એનડીટીવી)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular