Friday, May 1, 2026
HomeGeneralદિલ્હી: કુખ્યાત સ્નેચરે તપાસ દરમિયાન પોલીસની પિસ્તોલ છીનવી ફાયરિંગ કર્યું

દિલ્હી: કુખ્યાત સ્નેચરે તપાસ દરમિયાન પોલીસની પિસ્તોલ છીનવી ફાયરિંગ કર્યું

- Advertisement -

નવજીવન. નવી દિલ્હી: કુખ્યાત ગુનેગાર મનીષ પોદ્દારના ભાઈ રાકેશેને ગઈકાલે રાત્રે એક ટ્રાયલની તપાસ દરમિયાન ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસની પિસ્તોલ છીનવી લીધી અને તેમના પર ગોળીબાર કર્યો હતો. બીજી બાજુ પોલીસે પણ વળતો ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ગુનેગાર રાકેશ ઈજાગ્રસ્ત થયો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

ગુનેગાર રાકેશ કુખ્યાત ગુનેગાર મનીષ પોદ્દારનો ભાઈ છે અને બવાના જેજે કોલોનીનો રહેવાસી છે. બંને ભાઈઓએ ઉત્તરી જિલ્લા રોહિણી અને જહાંગીરપુરી વિસ્તારમાં પોતાની જાળ બિછાવી હતી અને ઘણી ઘટનાઓને અંજામ આપ્યો હતો. તેમજ રાકેશ સ્નેચરને નવી યુક્તિઓ શીખવતો હતો. ઉપરાંત પૈસાની મદદ કરી અને બાઇક પણ આપી હતી.

- Advertisement -

ડેપ્યુટી કમિશનર બ્રિજેન્દ્ર કુમાર યાદવના જણાવ્યા અનુસાર, જ્યારે સ્નેચર પકડાયો ત્યારે તે તેમને કાયદાકીય મદદ કરતો હતો અને તેમને શક્ય તેટલી વહેલી તકે જામીન પર છોડવામાં મદદ કરતો હતો. મનીષ પોદ્દાર અને તેનો ભાઈ રાકેશ સ્નેચરના છીનવેલા મોબાઈલ ફોન વેચવામાં પણ મદદ કરતો હતો અને દિવસ દરમિયાન અનેક બનાવોને અંજામ આપતા હતા.



ગઈકાલે રાત્રે રાકેશને કોઈ કેસમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશન નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયાની ટીમ તેની સાથેની ઝાડીઓની આજુબાજુમાં શોધખોળ કરી રહી હતી જેથી ગુનામાં વપરાયેલ હથિયાર શોધી શકાય. તકનો લાભ લઈ રાકેશે પોલીસ સ્ટાફમાંથી હાથ છોડાવી તેની પિસ્તોલ છીનવીને ભાગવા લાગ્યો હતો. પોલીસ દ્વારા રોકવામાં આવતાં પોલીસ પર ગોળીબાર કર્યો હતો.પોલીસે પણ વળતો ગોળીબાર કર્યો હતો. આમાં તેને ઈજા થઈ હતી.

- Advertisement -

એવું પણ જાણવા મળ્યું છે કે વર્ષ 2019માં જ્યારે પોલીસ મનીષ પોદ્દારને પકડવા તેના ઘરે પહોંચી ત્યારે મનીષ અને તેના પરિવારજનોએ ટોળા સાથે મળીને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને એક પોલીસકર્મીને પણ માર માર્યો હતો.હાલ રાકેશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.જ્યાં તેની સારવાર ચાલી રહી છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular