Friday, July 17, 2026
HomeGeneralફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેર સામેની FIRમાં દિલ્હી પોલીસે ફોરેન ફંન્ડિંગ, ગુનાહિત કાવતરું...

ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેર સામેની FIRમાં દિલ્હી પોલીસે ફોરેન ફંન્ડિંગ, ગુનાહિત કાવતરું અને પુરાવાનો નાશ કરવાના આરોપો ઉમેર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દિલ્હી પોલીસ દ્વારા ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ FIRમાં ગુનાહિત કાવતરું અને પુરાવાનો નાશ કરવાના નવા આરોપો ઉમેરવામાં આવ્યા છે. નોંધનીય છે કે 2018માં કરવામાં આવેલ કથિત રીતે વાંધાજનક ટ્વીટ દ્વારા હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ઝુબેરની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે દિલ્હીની એક કોર્ટે ઝુબેરની પોલીસ કસ્ટડી ચાર દિવસ વધારી દીધી હતી.



આ ક્રમમાં શનિવારે દિલ્હી પોલીસે ઝુબેરને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસે કહ્યું કે અમે મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે અને હાર્ડ ડિસ્ક પણ રિકવર કરી લીધી છે. પ્રોડક્શન દરમિયાન પોલીસે ઝુબેરને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરી છે. તે જ સમયે, ઝુબેર વિરુદ્ધ નોંધાયેલી FIRમાં IPCની વધુ કલમો ઉમેરવામાં આવી છે.

માહિતી અનુસાર, FIRમાં FCRAની કલમ-35 સાથે ગુનાહિત ષડયંત્ર અને પુરાવાનો નાશ કરવાની કલમો ઉમેરવામાં આવી છે. ED સમગ્ર મામલામાં મની લોન્ડરિંગની તપાસ કરી શકે છે. અહીં, ઝુબેરના વકીલે પટિયાલા હાઉસ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. ફેક્ટ ચેકરે જામીન માટે અરજી કરી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, Razorpay પેમેન્ટ ગેટવે પરથી મળેલી માહિતી દર્શાવે છે કે ફેક્ટ ચેકર સાથે સંબંધિત વિવિધ વ્યવહારો છે, જેમાં કાં તો ફોન નંબર ભારતની બહારનો છે અથવા તો આઈપી એડ્રેસ બેંગકોક, વેસ્ટર્ન, ઓસ્ટ્રેલિયા, મનામા સહિત વિદેશમાંથી છે. કુલ મળીને લગભગ રૂ. 2,31,933/- વિવિધ માધ્યમો દ્વારા “પ્રવદા મીડિયા”ને પ્રાપ્ત થયા છે.



સોશિયલ મીડિયાના વિશ્લેષણ દરમિયાન એવું પણ જોવામાં આવ્યું હતું કે મોહમ્મદ ઝુબૈરને સમર્થન આપનારા અને તેની ધરપકડ બાદ તેના સમર્થનમાં ટ્વિટ કરનારા ટ્વિટર હેન્ડલ મોટાભાગે મધ્ય પૂર્વના દેશો જેવા કે UAE, બહેરીન, કુવૈત અને પાકિસ્તાનના હતા.

- Advertisement -

જણાવી દઈએ કે, દિલ્હી પોલીસની ચાર સભ્યોની ટીમે ગુરુવારે બપોરે બેંગલુરુમાં Alt Newsના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબૈરના ઘરે લગભગ ત્રણ કલાક સુધી સર્ચ કર્યું હતું. પોલીસ ટીમે કવલ બાયરાસન્દ્રા પાસેના તેમના નિવાસસ્થાનના પહેલા માળ અને ગ્રાઉન્ડ ફ્લોર પર તલાશી લીધી હતી અને બહાર નીકળતી વખતે દિલ્હી પોલીસ ટીમનો એક સભ્ય હાથમાં લેપટોપ બેગ સાથે જોવા મળ્યો હતો. બેંગલુરુ પોલીસે સર્ચ ઓપરેશનમાં તેમના દિલ્હી સમકક્ષોને મદદ કરી હતી.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular