Monday, July 6, 2026
HomeGeneralદિલ્હીના રોહિણી કોર્ટ સંકુલમાં ફરીથી ફાયરિંગની ઘટના બની: રિપોર્ટ

દિલ્હીના રોહિણી કોર્ટ સંકુલમાં ફરીથી ફાયરિંગની ઘટના બની: રિપોર્ટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દિલ્હીના રોહિણી કોર્ટ સંકુલમાં શુક્રવારે સવારે બે વકીલો અને એક નાગરિક વચ્ચે થયેલા ઝઘડા દરમિયાન ફાયરિંગ્નિ ઘટના બની હતી, જેમાં ગોળી વાગવાથી બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. એડવોકેટ સંજીવ ચૌધરી અને ઋષિ ચોપડા, એક અસીલ રોહિત બેરી સાથે સવારે લગભગ 9.40 વાગ્યે કોર્ટ સંકુલમાં શારીરિક ઝઘડો થયો હતો, જેના પગલે સુરક્ષા ફરજ પરના નાગાલેન્ડના એક પોલીસ અધિકારીએ દરમિયાનગીરી કરી હતી અને તેના સર્વિસ વેપનમાંથી ગોળી ચલાવી હતી.



ગોળી જમીન પર વાગી હતી અને કોઈને ગંભીર ઈજા થઈ ન હતી, તેવું પોલીસે જણાવ્યું હતું. જો કે, ફાયરિંગના પરિણામે કોંક્રિટના અવશેષો ઉડવાને કારણે બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતે ફાયરિંગ થયું હતું કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે તેમ પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હીનું રોહિણી કોર્ટ સંકુલ ચર્ચામાં આવ્યું હતું જ્યારે કોર્ટરૂમની અંદર થયેલા ગોળીબારમાં ત્રણ ગુંડાઓ માર્યા ગયા હતા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને ભારે સંરક્ષિત વિસ્તારમાં સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular