Monday, April 27, 2026
HomeGujaratભારતમાં ઓમિક્રોનનો ચોથો કેસ સામે આવ્યો, દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પરત આવેલો વ્યક્તિ...

ભારતમાં ઓમિક્રોનનો ચોથો કેસ સામે આવ્યો, દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પરત આવેલો વ્યક્તિ પોઝિટિવ

- Advertisement -

નવજીવન મુંબઈ: ભારતમાં ઓમિક્રોનનો વેરિયન્ટનો ચોથો કેસ સામે આવ્યો છે. દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પરત ફરેલા એક વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. દક્ષિણ આફ્રિકાથી એક વ્યક્તિ દુબઈ થઈને દિલ્હી આવ્યો હતો અને ત્યાંથી મુંબઈ પહોંચ્યો હતો. આ યુવક 33 વર્ષીય મહારાષ્ટ્રનો છે. હાલમાં આ વ્યક્તિને કલ્યાણ ડોમ્બિવલી કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યો છે.

સરકાર તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, દર્દી ડોમ્બિવલી મ્યુનિસિપલનો રહેવાસી છે અને તેણે હજી સુધી કોઈ કોરોના રસી લીધી નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે 24 નવેમ્બરે મુંબઈ એરપોર્ટ પર આગમન સમયે તે વ્યક્તિને તાવ આવ્યો હતો. પરંતુ તેને અન્ય કોઈ લક્ષણો નહોતા. જો કે, બાદમાં ટેસ્ટ કરવામાં આવતા તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.



જામનગરમાં ગઇકાલે એક 72 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યો હતો. જે ભારતમાં ત્રીજો કેસ હતો. તે કોરોના સંક્રમિત જણાયા બાદ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ઓમિક્રોનથી સંક્રમિત આ વ્યક્તિ રોકાયો હતો, ત્યાં માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યો છે. જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા તેમને શોધી કાઢવામાં આવી રહ્યા છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisement -

જ્યારે ગયા અઠવાડિયે ભારતમાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાયા હતા. આમાં 46 વર્ષીય ડૉક્ટરનો પણ સમાવેશ થાય છે, જેમને કોરોના રસીના બંને ડોઝ લીધા હતા. તેની પાસે કોઈ મુસાફરીનો ઇતિહાસ પણ નહોતો અને તેને તાવ, શરીરમાં દુખાવો જેવા  લક્ષણો હતા. બીજો વ્યક્તિ દક્ષિણ આફ્રિકાનો નાગરિક છે, જે કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ લઈને ભારત આવ્યો હતો, પરંતુ અહીં કોવિડ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી, અને બાદમાં તે ઓમિક્રોન વેરિઅન્ટ હોવાનું બહાર આવ્યું હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular