Tuesday, July 28, 2026
HomeGeneralEDએ રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં ફરી સમન્સ પાઠવ્યું, 13 જૂને પૂછપરછ...

EDએ રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં ફરી સમન્સ પાઠવ્યું, 13 જૂને પૂછપરછ માટે બોલાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફરીથી સમન્સ જારી કર્યા છે. તેમને 13 જૂને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ પહેલા EDએ કોંગ્રેસ નેતાને 2 જૂને સમન્સ પાઠવ્યા હતા. જોકે રાહુલ ગાંધી વિદેશમાં હોવાને કારણે પૂછપરછ માટે ED સમક્ષ હાજર રહ્યા ન હતા.



રાહુલ ગાંધી 19 મેના રોજ વિદેશ ગયા હતા. 20 થી 23 મે વચ્ચે લંડનમાં આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારથી તેઓ ભારત ફર્યા નથી. રાહુલ ગાંધી 5 જૂન સુધીમાં સ્વદેશ પરત ફરે તેવી શક્યતા છે. સાથે જ આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ નોટિસ પાઠવવામાં આવી છે. ED દ્વારા તેમને 8મી જૂને સમન્સ પાઠવવામાં આવ્યા છે.

EDના સમન્સ પર કોંગ્રેસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કહ્યું કે, ‘જ્યારે કોંગ્રેસ અંગ્રેજો અને તેમના અત્યાચારોથી ડરતી નથી, તો પછી EDની નોટિસ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને પાર્ટીનું મનોબળ કેવી રીતે તોડી શકે? અમે જીતીશું, અમે હાર માનીશું નહીં. અમે ગભરાઈશું નહીં. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ બુધવારે મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે બંને નેતાઓ ED સમક્ષ હાજર થશે. અમે તેમનો સામનો કરીશું. અમે આવી યુક્તિઓથી ડરતા નથી. આ રાજકીય રીતે પ્રેરિત મામલો છે અને તેની કોઈ તપાસની જરૂર નથી. સુરજેવાલા અને સિંઘવીએ પુષ્ટિ આપી હતી કે ગાંધી પરિવાર જ્યારે પણ ઇડી ઇચ્છશે ત્યારે તપાસમાં જોડાશે.



સિંઘવીના જણાવ્યા અનુસાર, નેશનલ હેરાલ્ડ અખબાર એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ દ્વારા પ્રકાશિત થાય છે, આ પછી કોંગ્રેસે કેટલાક દાયકાઓમાં તેમાં 90 કરોડનું રોકાણ કર્યું. AJLએ કર્યું તે ભારત કે વિદેશની દરેક કંપની કરે છે. કંપનીએ તેના દેવાને ઇક્વિટીમાં રૂપાંતરિત કર્યું. આ પછી 90 કરોડ રૂપિયાની ઇક્વિટી નવી કંપની યંગ ઇન્ડિયાને સોંપવામાં આવી. સિંઘવીએ કહ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓ યંગ ઈન્ડિયામાં શેર ધરાવે છે. યંગ ઈન્ડિયા નોન-પ્રોફિટ કંપની તરીકે નોંધાયેલ. આ ટ્રાન્ઝેક્શન દ્વારા AJL દેવું મુક્ત કંપની બની. એક પણ સંપત્તિ અને પૈસા ટ્રાન્સફર થયા નથી, તો પછી મની લોન્ડરિંગ ક્યાં છે.?

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular