Sunday, April 26, 2026
HomeGeneralઅબુધાબીમાં કથિત ડ્રોન હુમલામાં 3ના મોત, એરપોર્ટ નજીક બે વિસ્ફોટ

અબુધાબીમાં કથિત ડ્રોન હુમલામાં 3ના મોત, એરપોર્ટ નજીક બે વિસ્ફોટ

- Advertisement -

નવજીવન. અબુ ધાબીઃ અબુધાબી એરપોર્ટ નજીક થયેલા શંકાસ્પદ ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને સોમવારે સંયુક્ત આરબ અમીરાતની રાજધાનીમાં અનેક વિસ્ફોટો થયા હતા. અબુધાબી પોલીસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આગ લાગવાથી અમીરાતના મુસાફાહ વિસ્તારમાં બળતણ લઈ જતી ત્રણ ટેન્કર ટ્રકમાં વિસ્ફોટ થયો હતો, જેમાં પ્રાથમિક તપાસ ડ્રોન હુમલા તરફ ઇશારો કરે છે. સરકારી સમાચાર એજન્સી ડબલ્યુએએમના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા ત્રણ લોકોમાર્યા ગયા હતા અને છ ઘાયલ થયા હતા.

યમનના ઇરાની સમર્થિત હૌથી બળવાખોરોએ જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં “યુએઈના મધ્યમાં હાથ ધરવામાં આવેલા વિશેષ સૈન્ય ઓપરેશન” વિશે નિવેદન આપશે. ડબલ્યુએએમ પર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અબુધાબી પોલીસે પુષ્ટિ કરી હતી કે આજે સવારે આગ લાગી હતી, જેના કારણે એડીએનઓસીની સ્ટોરેજ ટેન્ક નજીક આઇસીએડી 3, મુસાફામાં ત્રણ પેટ્રોલિયમ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો.” “અબુધાબી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના નવા બાંધકામ વિસ્તારમાં પણ એક નાની આગ લાગી હતી.”

- Advertisement -



સીએનએનના એક પત્રકારે એરપોર્ટની દિશામાંથી ધુમાડાના કાળા વાદળ સાથે બે વિસ્ફોટો સાંભળ્યા હતા. યુએઈ 2015થી યમનમાં હૌથી બળવાખોરો સામે સાઉદીની આગેવાની હેઠળના લશ્કરી અભિયાનનો ભાગ છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular