Thursday, July 23, 2026
HomeNationalવિદ્યાર્થીઓને આંદોલનથી દૂર રહેવાની સલાહ, AIUએ દેશભરના યુનિવર્સિટીઓને જાહેર કરી એડવાઇઝરી

વિદ્યાર્થીઓને આંદોલનથી દૂર રહેવાની સલાહ, AIUએ દેશભરના યુનિવર્સિટીઓને જાહેર કરી એડવાઇઝરી

- Advertisement -

NEET Paper Leak: દેશભરમાં શિક્ષણ સુધારા અને નીટ (NEET) પેપર લીક (Paper Leak) મુદ્દે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (Association of Indian Universities – AIU)એ દેશની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના નિયામકોને એડવાઇઝરી (Advisory) જાહેર કરી છે. તેમાં વિદ્યાર્થીઓને આંદોલનથી દૂર રહેવા અને પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરવાની અપીલ કરવામાં આવી છે.

AIUના અધ્યક્ષ પ્રોફેસર વિનય કુમાર પાઠક (Prof. Vinay Kumar Pathak) દ્વારા 21 જુલાઈએ જાહેર કરાયેલી એડવાઇઝરીમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઓને અનિશ્ચિતતા નહીં પરંતુ યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ. તેમણે તમામ સભ્ય યુનિવર્સિટીઓને અપીલ કરી છે કે તેઓ વિદ્યાર્થીઓ સાથે સંવેદનશીલતા પૂર્વક વર્તે અને તેમને તેમની શૈક્ષણિક યાત્રા પર કેન્દ્રિત રહેવામાં મદદ કરે.

- Advertisement -

એડવાઇઝરીમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઓની ચિંતાઓ સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેમની વાત સહાનુભૂતિ તથા સન્માન સાથે સાંભળવી જોઈએ. જોકે લાંબા સમય સુધી ચાલતા આંદોલનોનું સૌથી મોટું નુકસાન વિદ્યાર્થીઓને જ થાય છે. તેનાથી અભ્યાસનો સમય બગડે છે, પરીક્ષાની તૈયારી પર અસર પડે છે અને માનસિક તણાવ વધે છે.

પ્રોફેસર પાઠકે વધુમાં જણાવ્યું કે સરકાર પરીક્ષા પ્રણાલીમાં સુધારા માટે પ્રતિબદ્ધ છે અને તાજેતરમાં યોજાયેલી નીટ પરીક્ષા પારદર્શક અને ભૂલરહિત રીતે પૂર્ણ થઈ હોવાનું તેમણે જણાવ્યું. તેથી વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસને પ્રાથમિકતા આપવી જોઈએ.

આ દરમિયાન ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા મદ્રાસ (Indian Institute of Technology Madras – IIT Madras)ના એક વિદ્યાર્થી સંગઠને આરોપ લગાવ્યો છે કે સંસ્થાના અધિકારીઓએ તેમને વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં મૂકેલો ઇન્સ્ટાગ્રામ (Instagram) વીડિયો દૂર કરવા જણાવ્યું હતું. સાથે જ કેમ્પસમાં શાંતિપૂર્ણ સભા યોજવાની મંજૂરી પણ આપવામાં આવી નહોતી. વિદ્યાર્થી સંગઠનના દાવા મુજબ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી કેન્દ્ર સરકાર સાથેના સંબંધો અને સંસ્થાની છબી પર અસર પડી શકે છે.

- Advertisement -

વિદ્યાર્થી સંગઠન ‘ચિંતાબાર’ (Chintabar)ના જણાવ્યા મુજબ તેમણે નીટ-યુજી (NEET-UG), યુજીસી-નેટ (UGC-NET) સહિતની પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓના વિરોધમાં શાંતિપૂર્ણ સભા યોજવાની પરવાનગી માગી હતી. તેમનું કહેવું છે કે વારંવાર પરીક્ષાઓમાં ગેરરીતિ, પરીક્ષા રદ થવી અને ફરી યોજાવાથી વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક, માનસિક અને આર્થિક દબાણ વધી રહ્યું છે.

બીજી તરફ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા રૂડકી (Indian Institute of Technology Roorkee – IIT Roorkee)ની આંતરિક એડવાઇઝરી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સંસ્થાના આચરણ નિયમોનું પાલન કરવા અને રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવાની યાદ અપાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચા શરૂ થતાં IIT રૂડકીએ સ્પષ્ટતા કરી હતી કે વ્યક્તિગત અભિપ્રાય અને સંસ્થાના સત્તાવાર અભિપ્રાય વચ્ચે સ્પષ્ટ તફાવત છે. વ્યક્તિગત રીતે વ્યક્ત કરાયેલા વિચારોને સંસ્થાની સત્તાવાર સ્થિતિ તરીકે જોવામાં ન આવે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular