Thursday, July 23, 2026
HomeNationalસરકારનો CJPને 24 કલાકમાં ચોથી વખત વાતચીતનો પ્રસ્તાવ, નિષ્પક્ષ સ્થળે બેઠકની માંગ

સરકારનો CJPને 24 કલાકમાં ચોથી વખત વાતચીતનો પ્રસ્તાવ, નિષ્પક્ષ સ્થળે બેઠકની માંગ

- Advertisement -

Paper Leak protest: નીટ (NEET) પેપર લીક (Paper Leak) મુદ્દે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એકવાર વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ (Jitendra Singh)એ જણાવ્યું છે કે સરકાર તમામ મુદ્દાઓ પર કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં સરકારે CJPના પ્રતિનિધિઓ સાથે વાતચીત માટે ચાર વખત ઔપચારિક પ્રસ્તાવ મોકલ્યો છે. બીજી તરફ CJPએ સરકારને નિષ્પક્ષ સ્થળે (Neutral Venue) બેઠક યોજવાની અપીલ કરી છે.

જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે સરકાર તમામ યુવાનો માટે ખુલ્લા મનથી વાતચીત કરવા તૈયાર છે અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો અહંકાર અથવા પ્રતિષ્ઠાનો પ્રશ્ન વચ્ચે આવવા દેવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા (JP Nadda) અને તેઓ પોતે ચર્ચા માટે હાજર રહેશે. તેમના મુજબ બેઠક જે.પી. નડ્ડાના કાર્યાલય અથવા નિવાસસ્થાને પણ યોજી શકાય છે.

- Advertisement -

તેમણે વધુમાં કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓના કલ્યાણ માટે સતત પ્રયાસ કરી રહી છે અને તમામ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને વાતચીત માટે આગળ આવવાની અપીલ કરી છે. તેમણે ફરીથી ભારપૂર્વક જણાવ્યું કે સરકાર “કોઈપણ સમયે, કોઈપણ સ્થળે” ચર્ચા કરવા તૈયાર છે અને આ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પહેલા CJPના પ્રતિનિધિમંડળે જે.પી. નડ્ડાના નિવાસસ્થાને મુલાકાત લઈને પોતાની વિવિધ માંગણીઓનું આવેદનપત્ર સોંપ્યું હતું. પ્રતિનિધિમંડળે નીટ પેપર લીક મુદ્દે કાર્યવાહી, પરીક્ષા પ્રણાલીમાં સુધારા અને અન્ય માંગણીઓ પર સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી માંગ કરી હતી.

જંતર-મંતર (Jantar Mantar) ખાતે CJP અને વિદ્યાર્થીઓનું આંદોલન હવે 31મા દિવસે પ્રવેશી ગયું છે. પ્રદર્શનકારીઓ નીટ પેપર લીક, પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવાની માંગ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ના રાજીનામાની માંગ સાથે ધરણા પર બેઠા છે.

- Advertisement -

સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર અને CJP વચ્ચેની બીજા તબક્કાની વાતચીત માટે હજુ સુધી કોઈ સહમતિ બની નથી. CJPનું કહેવું છે કે તેઓ કોઈ સરકારી કચેરી અથવા સરકારી નિવાસસ્થાને જઈને ચર્ચા કરવા તૈયાર નથી અને સરકાર નિષ્પક્ષ સ્થળ પસંદ કરે તો જ તેઓ ચર્ચામાં ભાગ લેશે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular