Tuesday, July 21, 2026
HomeNationalસોનમ વાંગચૂકની પત્નીને વાળ ખેંચી ઢસેડીને લઈ જવાયા- સૌરવ દાસઃ લાઠીચાર્જ-ટીયર ગેસના...

સોનમ વાંગચૂકની પત્નીને વાળ ખેંચી ઢસેડીને લઈ જવાયા- સૌરવ દાસઃ લાઠીચાર્જ-ટીયર ગેસના સેલ છોડાયા, અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ

- Advertisement -

Paper Leak Protest CJI Jantar Mantar: નવી દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વમાં જંતર-મંતર (Jantar Mantar) અને આસપાસના વિસ્તારોમાં યોજાયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા લાઠીચાર્જ (Lathi Charge) અને ટીયર ગેસ (Tear Gas)નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના દાવા સામે આવ્યા છે. પ્રદર્શન દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હોવાનો દાવો CJPના નેતાઓએ કર્યો છે.

CJPના પ્રવક્તા સૌરવ દાસ (Sourav Das)એ આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસે પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુક (Sonam Wangchuk)ની પત્ની ગીતાંજલી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો છે કે 12 વર્ષની એક બાળકીના માથામાં ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે 40થી 50 અન્ય પ્રદર્શનકારીઓના માથામાં પણ ઈજાઓ પહોંચી છે. જોકે, આ દાવાઓ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

- Advertisement -

આ દરમિયાન સમાજવાદી પાર્ટી (Samajwadi Party)એ દાવો કર્યો છે કે પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ (Dimple Yadav) સહિત અન્ય કેટલાક સાંસદોને પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે.

CJPના પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે તેઓ અને પાર્ટીના અન્ય પ્રવક્તા આશુતોષ રાંકા (Ashutosh Ranka) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા (JP Nadda)ના નિવાસસ્થાને બે કલાકથી વધુ સમય સુધી રાહ જોયા બાદ તેમની સાથે લગભગ 10 મિનિટ સુધી મુલાકાત કરી હતી. તેમણે પાર્ટીની માંગણીઓનું લેખિત આવેદનપત્ર સોંપ્યું હોવાનું અને જે.પી. નડ્ડાએ આ મુદ્દે આંતરિક સ્તરે ચર્ચા કરવાની ખાતરી આપી હોવાનું જણાવ્યું છે.

આશુતોષ રાંકાના જણાવ્યા મુજબ, પાર્ટીએ સરકાર સમક્ષ સોનમ વાંગચુકની તાત્કાલિક મુક્તિ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ના રાજીનામાની માંગ અને નીટ (NEET) પરીક્ષાની તૈયારી દરમિયાન આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ રજૂ કરી છે. સાથે જ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે બળપ્રયોગ તાત્કાલિક બંધ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

- Advertisement -

ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ, સંસદ નજીક પોલીસ દ્વારા અનેક પ્રદર્શનકારીઓને બસોમાં બેસાડીને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. કેટલાક લોકો સાથે કડક વર્તન કરવામાં આવ્યું હોવાના તેમજ પત્રકારોને ઘટનાનું રેકોર્ડિંગ કરતા રોકવાનો પ્રયાસ થયો હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે. અહેવાલો મુજબ સંસદ તરફ આગળ વધતા 800થી 1,000 જેટલા પ્રદર્શનકારીઓને પોલીસે વારંવાર લાઠીચાર્જ કરીને પાછળ ધકેલી દીધા હતા.

જંતર-મંતર વિસ્તારમાં ભારે બેરિકેડિંગ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે અંદાજે એક લાખ લોકો એકત્ર થયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા (Omar Abdullah) પણ “Restore Statehood” લખેલી જૅકેટ પહેરીને પ્રદર્શનમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular