Sunday, April 19, 2026
HomeGeneralપ્રધાનમંત્રીની સુરક્ષામાં ખામી, ભાજપે કહ્યું ચરંજિત ચન્નીનો ફોન પર આવવાનો ઇનકાર

પ્રધાનમંત્રીની સુરક્ષામાં ખામી, ભાજપે કહ્યું ચરંજિત ચન્નીનો ફોન પર આવવાનો ઇનકાર

- Advertisement -

નવજીવન. નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદર્શનકારીઓને કારણે લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા બાદ આજે પંજાબમાં તેમના કાર્યક્રમો રદ કર્યા હતા. એક મોટા પાયે સુરક્ષા ભંગ જેણે ચૂંટણી પહેલા કેન્દ્ર અને કોંગ્રેસ શાસિત રાજ્ય વચ્ચે સંઘર્ષને પ્રજ્વલિત કર્યો છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીએમ મોદી સુરક્ષા ભંગને કારણે ભટિંડાના એરપોર્ટ પર પાછા ફર્યા હતા, તેમણે આ મુલાકાતની તૈયારી કરવામાં નિષ્ફળ જવા બદલ કોંગ્રેસ સરકારને દોષી ઠેરવી હતી.

ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. પ્રધાનમંત્રીની સુરક્ષામાં આ એક મોટી ભૂલ હતી. તાજેતરના વર્ષોમાં કોઈ પણ ભારતીય વડા પ્રધાનની સુરક્ષામાં આ એકમાત્ર સૌથી મોટી ભૂલ ગણાવતા સરકારી સૂત્રોએ પંજાબ પોલીસ પર કહેવાતા દેખાવકારો સાથે “સાંઠગાંઠ” કરવાનો આરોપ લગાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર પંજાબ પોલીસને જ વડા પ્રધાનનો ચોક્કસ માર્ગ ખબર હતી.

- Advertisement -



પ્રધાનમંત્રી આજે પહેલા હુસેનીવાલા ખાતે રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત માટે ભટિંડા ખાતે ઉતર્યા હતા. તેમને હેલિકોપ્ટર મારફતે જવાનુ હતુ પરંતુ વરસાદ અને નબળી દૃશ્યતાને કારણે, તેમણે હવામાન સાફ થવાની લગભગ 20 મિનિટ રાહ જોઈ. “જ્યારે હવામાનમાં સુધારો નહીં થાયો, ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ રસ્તા મારફતે રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લેશે, જેમાં બે કલાકથી વધુ સમય લાગશે. તેમણે ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની જરૂરી પુષ્ટિ કર્યા બાદ સડક માર્ગે મુસાફરી કરી હતી,” તેવું ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું.

- Advertisement -



“પ્રધાનમંત્રીના કાર્યક્રમ અને મુસાફરીની યોજના પંજાબ સરકારને અગાઉથી જ જણાવવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ, તેઓએ લોજિસ્ટિક્સ, સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવી પડશે તેમજ આકસ્મિક યોજના તૈયાર રાખવી પડશે. આ ઉપરાંત આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે સડક માર્ગે કોઈ પણ હિલચાલને સુરક્ષિત કરવા માટે વધારાની સુરક્ષા તૈનાત કરવી પડશે, જે સ્પષ્ટ પણે તૈનાત કરવામાં આવી ન હતી. આ સુરક્ષામાં ખામી પછી, ભટિંડા એરપોર્ટ પર પાછા જવાનો નિર્ણય લેવામાં આવ્યો.”

- Advertisement -

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ,”પંજાબ પોલીસ અને કહેવાતા દેખાવકારો વચ્ચે મિલીભગતનું આ આશ્ચર્યજનક દ્રશ્ય હતું. ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે, જેમાં જવાબદારી નક્કી કરવા અને કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. ફિરોઝપુર ખાતે, જ્યાં વડા પ્રધાન એક રેલીને સંબોધન કરવાના હતા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ સ્ટેજ પર જાહેરાત કરી હતી કે તેઓ આખરે આવતા નથી.

“વડા પ્રધાન તમને બધાને મળવા માંગતા હતા, પરંતુ કેટલાક કારણોસર, તેઓ આજે અમારી સાથે રહેવાના નથી. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, આ કાર્યક્રમો (ઉદ્ઘાટન) મુલતવી રાખવામાં આવ્યા છે અને રદ કરવામાં આવ્યા નથી,” તેવું આરોગ્ય મંત્રીએ સભાને જણાવ્યું હતું.



ભાજપના વડા જે.પી.નડ્ડાએ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચાન્ની પર શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને નિશાન સાધ્યું હતું અને તેમના પર ફોન કોલ લેવાનો ઇનકાર કરવાનો આરોપ લગાવ્યો હતો. “એ દુ:ખની વાત છે કે પંજાબ માટે હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરવાની પ્રધાનમંત્રીની મુલાકાત ખોરવાઈ ગઈ… લોકોને રેલીમાં ભાગ ન લે તે માટે રાજ્ય પોલીસને સૂચના આપવામાં આવી હતી… સીએમ ચન્નીએ આ બાબતને સંબોધવા અથવા તેનો ઉકેલ લાવવા માટે ફોન પર આવવાનો ઇનકાર કર્યો હતો,” નડ્ડાએ ટ્વીટ કર્યું હતું.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular