Friday, June 5, 2026
HomeNationalમણિપુરઃ કાફલાને અટકાવ્યા બાદ રાહુલ ગાંધી હેલિકોપ્ટરથી ચુરાચંદપુર પહોંચ્યા, રાહત શિબિરમાં લોકોને...

મણિપુરઃ કાફલાને અટકાવ્યા બાદ રાહુલ ગાંધી હેલિકોપ્ટરથી ચુરાચંદપુર પહોંચ્યા, રાહત શિબિરમાં લોકોને મળ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) કાફલાને આજે મણિપુર રમખાણોના (Manipur Riots) સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી એક ચુરાચંદપુર (Churachandpur) જવાના રસ્તે પોલીસે અટકાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સુરક્ષાના કારણોસર રાહુલ ગાંધીના કાફલાને ઇમ્ફાલથી 20 કિમી દૂર બિષ્ણુપુરમાં અટકાવવામાં આવ્યો હતો. આ પછી કોંગ્રેસ નેતા હેલિકોપ્ટર દ્વારા ચુરાચંદપુર જવા રવાના થયા. ત્યાં તેઓ સંઘર્ષથી વિસ્થાપિત થયેલા લોકોને મળ્યા હતા. રાહુલ ગાંધી નિર્ધારિત સમય કરતાં થોડા કલાકો મોડા હેલિકોપ્ટર દ્વારા ત્યાં પહોંચ્યા હતા. બિષ્ણુપુરમાં સ્થાનિક પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. કેટલાક વિરોધીઓ ઈચ્છતા હતા કે, રાહુલ ગાંધીજીને ચુરાચંદપુર જવા દેવામાં આવે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પગલું એટલા માટે લેવામાં આવ્યું હતું, કારણ કે રાહુલ ગાંધી જે માર્ગ પર મુસાફરી કરી રહ્યા હતા તે માર્ગ પર મહિલા પ્રદર્શનકારીઓની ભારે ભીડ હતી. રાહુલ ગાંધી ગયા મહિનાની શરૂઆતમાં પૂર્વોત્તર રાજ્યમાં જાતિગત હિંસાને કારણે વિસ્થાપિત થયેલા મણિપુરના લોકોને મળવા માટે રાહત શિબિરોની મુલાકાત લેવા જઈ રહ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીના કાફલાને ચૂરાચંદપુર જતા રસ્તામાં અટકાવી દેવામાં આવ્યો હતો.

- Advertisement -

કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, વડાપ્રધાન મણિપુરના વિકાસને લઈને ચિંતિત નથી. 130થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, હજારો વિસ્થાપિત થયા છે અને રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી છે. શા માટે મણિપુરમાં ભાજપ સરકાર રાહુલ ગાંધીના માર્ગમાં અવરોધ અને ઠોકર બનવાનું કામ કરી રહી છે? સ્થાનિક પ્રશાસને રાહુલ ગાંધીને રસ્તા પરથી જવાની પરવાનગી આપી હતી, પરંતુ બાદમાં તેને અચાનક અટકાવી દેવામાં આવી હતી. રાહુલ ગાંધી તેમનો મણિપુર પ્રવાસ ચાલુ રાખશે.

તમને જણાવી દઈએ કે, મે મહિનાની શરૂઆતમાં મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા છે. ઉપરાંત, લગભગ 50,000 લોકો 300થી વધુ રાહત શિબિરોમાં રહે છે. મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જાની મેઇતેઈ સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા કૂચ’નું આયોજન કરવામાં આવ્યું તે પછી બે સમુદાયો વચ્ચે અથડામણો શરૂ થઈ.

મેઇતેઈ સમુદાય, જે મણિપુરની 53 ટકા વસ્તી ધરાવે છે અને મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહે છે. તે જ સમયે, નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પહાડી જિલ્લાઓમાં રહે છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular