નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ CBSE 12th Result 2023: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન 2023ના ધોરણ12નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે CBSE બોર્ડના ધોરણ 12ની પરિક્ષા આપનારા 87.33% વિદ્યાર્થીઓ પાસ થયા છે. જોકે આ વર્ષના પરિણામ અનુસાર છોકરીઓએ બાજી મારી છે. છોકરીઓએ છોકરાઓને 6.01% કરતાં પાછળ રાખી દીધા. જ્યારે ગત વર્ષના પરિણામ કરતાં આ વર્ષે 5.38%નો ઘટાડો થયો છે.
આજે દેશભરમાં CBSE બોર્ડના ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ 11 મેના રોજ જાહેર થવાનું હોવાની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જોકે બોર્ડ અધિકારીએ આ વાતને નકારી દીધી હતી. ત્યારે આજે 12 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિક્ષા 16,60,511 લાખ વિદ્યાર્થીઓમાંથી 14,50,174 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સાથે CBSE બોર્ડના ધોરણ 12નું 87.33 ટકા પરિણામ જાહેર થયુ છે. ગત વર્ષે CBSE બોર્ડના ધોરણ 12નું પરિણામ 92.71% આવ્યું હતું.
સમગ્ર દેશમાં ટોપ 5 રાજ્યના પરિણામની વાત કરીએ તો ત્રિવેન્દ્રમ ક્ષેત્રનું સૌથી વધુ 99.91 ટકા , બેંગ્લોર – 98.64 ટકા, ચેન્નાઈ 97.40 ટકા, દિલ્હી પશ્ચિમ – 93.24 ટકા, ચંદીગઢ – 91.84 ટકા પરિણામ જાહેર થયું છે. જોકે આ વર્ષે બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરિણામ સાથે ડીવીઝન પ્રમાણે જાણકારી આપવામાં આશે નહીં. વિદ્યાર્થીઓને બિનજરૂરી સ્પર્ધાથી બચાવવા માટે આ વર્ષે મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું નથી. સાથે જ વિષય મુજબ ટોચના 0.1% વિદ્યાર્થીઓને લાયકાત પ્રમાણપત્ર આપવામાં આવશે.
TAG: CBSE 12th Result 2023 Live, CBSE Results 2023
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








