નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ વધતા વાહનો અને સાથે જ પાર્કિંગ બહુ મોટી સમસ્યા બનતી જાય છે. પાર્કિંગ માટે તંત્ર કેટલું કરે છે, ખાનગી બિલ્ડર્સ કે, ખાનગી કોમ્પ્લેક્સીસમાં કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે તે આપણે સહુ જાણીએ છીએ. બિલ્ડીંગ બની જાય પણ તેમાં પાર્કિંગ કેપેસિટિ કરતાં વધુ હોય તેવી સ્થિતિઓ આપણે ઘણા સ્થાનોની જોઈ છે. કેન્દ્રીય મંત્રીએ આ મામલામાં પાર્કિંગને લઈને જલ્દી જ યોગ્ય કાયદો લાવશે તેવું કહ્યું છે.
કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે જલ્દી જ ખોટી રીતે પાર્કિંગ કરવામાં આવેલા વાહનોની તસવીરો મોકલનારા વ્યક્તિઓને ઈનામ મળી શકે છે. ગડકરીએ કહ્યું કે જો દંડની રકમ 1000 રૂપિયા થઈ તો તસવીર મોકલનારાને 500 રૂપિયા મળી શકે છે.
ગડકરી પોતાના સ્પષ્ટ વિચારો માટે જાણીતા છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે તે રસ્તાઓ ઉપર ખોટી રીતે પાર્ક કરાયેલા વાહનોની પ્રથાને રોકવા માટે એક કાયદો લાવવાનો વિચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ખોટી રીતે કરાયેલા વાહન પાર્કિંગને કારણે મોટાભાગે રસ્તાઓ પર જામ લાગી જાય છે.
કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું, “હું એવો કાયદો લાવવા જઈ રહ્યો છું કે જે વ્યક્તિ રસ્તા પર કાર પાર્ક કરશે, જે તેના મોબાઈલથી ફોટો પાડીને મોકલશે, રૂપિયા 500 મળશે અને પાર્કિંગ કરનારને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જેથી પાર્કિંગની સમસ્યા હલ થશે.
મંત્રીએ ખેદ વ્યક્ત કર્યો કે લોકો તેમના વાહનો માટે પાર્કિંગની જગ્યા બનાવતા નથી, તેના બદલે તેમના વાહનો રસ્તા પર કબજો કરે છે. હળવાશમાં, તેમણે કહ્યું, “નાગપુરમાં મારા રસોઈયા પાસે પણ બે સેકન્ડ હેન્ડ વાહનો છે… હવે, ચાર જણના પરિવાર પાસે છ વાહનો છે. એવું લાગે છે કે દિલ્હીવાસીઓ ભાગ્યશાળી છે કારણ કે અમે તેમના વાહનો પાર્ક કર્યા છે. કોઈ મકાન બાંધતું નથી. પાર્કિંગની જગ્યા, તેમાંના મોટાભાગના તેમના વાહનો રસ્તા પર પાર્ક કરે છે.”
![]() |
![]() |
![]() |











