Thursday, June 4, 2026
HomeGeneralઅમેરિકા: ટીચર્સ એઝ લિડર્સ પ્રોગ્રામમાં NRI-ગુજરાતી શિક્ષિકા રોશની શાહની પસંદગીથી ભારતનું ગૌરવ...

અમેરિકા: ટીચર્સ એઝ લિડર્સ પ્રોગ્રામમાં NRI-ગુજરાતી શિક્ષિકા રોશની શાહની પસંદગીથી ભારતનું ગૌરવ વધ્યું

- Advertisement -

દિવ્યકાંત ભટ્ટ (નવજીવન ન્યૂઝ.ઍટલાન્ટા-અમેરિકા): અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટની ગ્વિનેટ કાઉન્ટીમાં શિક્ષકો માટેનો ટીચર્સ એઝ લિડર્સ (TAL) પ્રોગ્રામ કાર્યરત છે. શિક્ષિકા માટે પ્રતિષ્ઠિત ગણાતા આ પ્રોગ્રામમાં એનઆરઆઇ-ગુજરાતી શિક્ષિકા રોશની શાહે અનેક કઠિન પડાવો પાર કરી સ્થાન મેળવી ભારતનું ગૌરવ વધાર્યું છે. 16 વર્ષથી જ્યોર્જિયા સ્ટેટની ગ્વિનેટ કાઉન્ટીમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મૂળ વડોદરાના રોશની શાહે અમેરિકન પ્રેસિડેન્ટના એવોર્ડ સહિત અનેક એવોર્ડ મેળવી ભારત-ગુજરાતનું નામ રોશન કર્યું છે. શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્મ. આ ત્રણેય મૂલ્યોરૂપી જડીબુટ્ટી ઘૂંટીને વિદ્યાર્થીને જીવન અને નવજીવન બક્ષે તે જ સાચા શિક્ષક. આવા ગુણોને એનઆરઆઇ-ગુજરાતી શિક્ષિકા રોશની શાહે વિદેશની ધરતી પર ચરિતાર્થ કરી શિક્ષણ આલમમાં આગવું સ્થાન અંકિત કર્યું છે.



અમેરિકાના જ્યોિર્જયા સ્ટેટના એટલાન્ટામાં ગ્વિનેટ કાઉન્ટી આવેલી છે. આ ગ્વિનેટ કાઉન્ટીના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કાઉન્ટીની સ્કૂલસના 11000 થી વધુ શિક્ષકોમાં નેતૃત્વ શક્તિ વિકસે તે હેતુથી લિડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ‘ટીચર્સ એઝ લિડર્સ’ શરૂ કરાયો છે. આ પ્રોગ્રામ માટે ગ્વિનેટ કાઉન્ટીમાં આવેલી સ્કૂલ્સના 11000 થી વધુ શિક્ષકોમાંથી 60 શિક્ષકોને પસંદ કરવામાં આવે છે. આ પસંદગીની પ્રક્રિયા ખૂબ જ કડક-જટિલ હોય છે. આ પ્રોગ્રામમાં સામેલ થવા ઇચ્છતા શિક્ષકોને વિવિધ લેખિત-મૌખિક અને પ્રેકટિકલ પ્રોસેસમાંથી પસાર થવાનું હોય છે. આ કઠિન પ્રક્રિયામાંથી ગ્વિનેટ કાઉન્ટીની સમરઅવર મીડલ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષિકા મૂળ વડોદરાના રોશની કિન્તુ શાહ પસાર થઇ TAL પ્રોગ્રામમાં પસંદગી પામ્યા છે.

ટીચર્સ એઝ લિડર્સ પ્રોગ્રામ શિક્ષકોમાં નેતૃત્વશક્તિ ડેવલપ કરવા માટે છે. જેમાં શિક્ષકો સમાજના વિવિધ સમુદાયો તેમજ રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરના નેતાઓ સાથે મુલાકાત ગોઠવી તેમનામાં રહેલા નેતૃત્વ કૌશલ્યોથી માહિતગાર થાય છે. એટલું જ નહીં શિક્ષણ અને બિઝનેશ સેકટર બંને સાથે સંકળાયેલા સમાજના આગેવાનો અને નેતાઓ પાસેથી નેતૃત્વના ગુણોનું ભાથું મેળવે છે. નેતૃત્વના ગુણોનું આ ભાથું પસંદ થયેલા શિક્ષકો પોતાના સાથી શિક્ષકો અને તેમના વિદ્યાર્થીઓને પીરસી તેમને કુશળ નેતૃત્વ કૌશલ્યથી સભર બનાવે છે.




શિક્ષક અને વિદ્યાર્થી લિડરશીપ કૌશલ્યથી શિક્ષણમાં સશક્ત બને છે: રોશની શાહ

- Advertisement -

TAL પ્રોગ્રામાં પસંદ થયેલા શિક્ષકો સમુદાયના આગેવાનો અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય નેતાઓને મળે છે ત્યારે લિડરશીપ કૌશલ્યની અનેક બાબતો જાણવા-સમજવા મળે છે. સાથે એક નેટવર્ક ગોઠવાય છે. આ નેટવર્ક અને લિડરશીપ કૌશલ્યથી શિક્ષકો અને વિદ્યાર્થી શિક્ષણમાં સશક્ત બને છે તેમ શિક્ષિકા રોશની શાહે જણાવ્યું હતું.

રોશની શાહે અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડ સહિત વિવિધ સન્માનો મેળવ્યાં

રોશની શાહે જ્યોર્જિયા સ્ટેટની ગ્વિનેટ કાઉન્ટીમાં વર્ષ 2006 થી ઇન્ટરનેશનલ કોમ્યુનિટી સ્કૂલથી વોલ્યુન્ટર તરીકે શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ રોશની શાહે એક પછી એક વિવિધ સન્માન-એવોર્ડ મેળવ્યા છે. જેમાં તેમણે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશના સમયે પ્રેસિડેન્ટસ વોલ્યુન્ટર સર્વિસ એવોર્ડ, મેથ્સ અને સાયન્સ વિષય માટે સુપ્રિન્ટેન્ડન્ટ્સ ડિસ્ટીગ્વિસ્ડ એચિવમેન્ટ એવોર્ડ અને 2014 માં ટીચર્સ ઓફ ધ યર નો ગૌરવાંન્વિત એવોર્ડ મેળવ્યો હતો.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular