Thursday, July 9, 2026
HomeGeneralભારતમાં કોલસા સંકટઃ કોલસાના પરિવહન માટે રેલવેએ 42 પેસેન્જર ટ્રેન રદ કરી

ભારતમાં કોલસા સંકટઃ કોલસાના પરિવહન માટે રેલવેએ 42 પેસેન્જર ટ્રેન રદ કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ દેશભરમાં કોલસાનું સંકટ ઘેરી બન્યું છે. આને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ દેશભરમાં જુદા જુદા ઝોનમાં 42 પેસેન્જર ટ્રેન રદ કરી છે. જેથી કરીને માલસામાનની ટ્રેનની આવર્તન તેમના સ્થાને વધારી શકાય અને વહેલી તકે વીજ ઉત્પાદન પ્લાન્ટને કોલસો સપ્લાય કરી શકાય. દેશભરના ઘણા પાવર પ્લાન્ટ પાસે 21 દિવસથી ઓછા કોલસાનો ભંડાર બાકી છે. કેટલીક જગ્યાએ તો માત્ર એક દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો છે. તેવામાં પેસેન્જર ટ્રેન રદ્દ થતાં મુસાફરોને હાલાકી પડી શકે છે.



રેલ્વે તરફથી જોહેર કરાયેલા તાજેતરના આદેશમાં કહેવામાં આવ્યું છે કે 42 ટ્રેનને આગામી આદેશ સુધી રદ કરવામાં આવી છે. તેમાંથી 34 ટ્રેનો સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વે (SECR) અને 8 ટ્રેન નોર્ધન રેલ્વે ઝોનમાંથી છે. એમપી અને છત્તીસગઢમાં સાંસદોના વિરોધ બાદ છત્તીસગઢની 3 રદ કરાયેલી ટ્રેન પણ પૂર્વવત કરવામાં આવી છે.

ભારતમાં થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાના સ્ટોકની મોટી કટોકટી સામે આવી છે. તેથી કોલસાના પરિવહન માટે યુદ્ધના ધોરણે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે સમગ્ર દેશમાં કોલસાની તીવ્ર અછત છે, ત્યાં કોઈ બેકઅપ નથી, વીજળીનો સંગ્રહ કરી શકાતો નથી. આજે ઘણી જગ્યા પર 1 દિવસ પુરતો જ કોલસો બચ્યો છે, જ્યારે તે 21 દિવસનો હોવો જોઈએ, અમારી પાસે દિલ્હીની અંદર કોઈ પેમેન્ટ બાકી નથી, કેન્દ્ર સરકારે કોલસાના રેક વધારવા જોઈએ, સંકલનનો અભાવ છે, આને ઠીક કરવું પડશે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular