પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.ગાંધીનગર): ગુજરાત પોલીસમાં લાબા સમયથી એક કચવાટ રહ્યો છે કે તેમના કામના પ્રકાર સામે પગાર ધોરણ ઓછુ અને બહુ જુનુ છે જેમાં વર્ષોથી કોઈ સુધારો થયો નથી. આ મામલે પોલીસ જવાનો અને તેમના પરિવારે આંદોલન પણ કર્યુ હતું, જો કે પોલીસને લાગુ પડતા શીસ્તના નિયમોને કારણે પોલીસ જવાન આંદોલન કરી શકે નહીં તેના કારણે અનેક પોલીસ જવાનો સામે પગલાં લેવાની સરકારને ફરજ પણ પડી હતી.
બીજી તરફ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે હકારાત્મક નિર્ણય લેવા અંગે ગૃહ વિભાગને આદેશ આપ્યો હતો. પગાર ધોરણમાં કેવી રીતે સુધારો કરવો, કેટલો કરવો જેના કારણે રાજ્યની તીજોરી ઉપર કેટલુ ભારણ આવશે તે દિશામાં ગૃહ વિભાગે લાંબી કવાયત કરી હતી, જે કામગીરી હવે પુર્ણ થવાની આરે છે. સુત્રોની જાણકારી પ્રમાણે અગામી સપ્તાહ-દસ દિવસમાં ગૃહરાજય મંત્રી હર્ષ સંઘંવી ગુજરાત પોલીસને સારા સમાચાર આપી શકે તેવા સંકેતો મળી રહ્યા છે.
ગુજરાતના શિક્ષણ વિભાગ પછી સૌથી વધુ સંખ્યાબળ ગુજરાત પોલીસનું છે, પોલીસને રોજ જ અસામાન્ય સંજોગોની જેમ નોકરી કરવી પડે છે. પોલીસની દલીલ અને માગણી હતી કે ઘર્ણા વર્ષોથી તેમના પગાર ધોરણો સુધર્યા નથી, તેમજ અન્ય રાજ્યની પોલીસની સરખામણીમાં ગુજરાત પોલીસનો પગાર ઓછો છે, તેથી આ મામલે સરકાર વિચારવુ જોઈએ.
!– Composite Start –>
ગૃહરાજ્ય મંત્રીની સુચના પછી ગૃહ વિભાગના અધિકારીઓએ અન્ય રાજ્યની પોલીસના પગાર ધોરણો ઉપરાંત વિવિધ બાબતોનો અભ્યાસ કર્યો હતો જેના આધારે નવા પગાર ધોરણના મુસદ્દાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, આ મુદ્દે હવે ગૃહ વિભાગના અધિકારીઓ અને મંત્રી વચ્ચે મુસદ્દાને મહોર લાગ્યા પછી ગૃહમંત્રી સંઘવીએ પોલીસ માટે આનંદના સમાચારની જાહેરાત કરશે.
<
!– Composite Start –>
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











