Monday, May 19, 2025
HomeGujaratS-400 SAM: જાણો ભારતનું કવચ 'સુદર્શન' શું છે, જેણે ગુજરાત સહિત ઘણા...

S-400 SAM: જાણો ભારતનું કવચ ‘સુદર્શન’ શું છે, જેણે ગુજરાત સહિત ઘણા સ્થાનો પર પાકિસ્તાનનો હુમલો કર્યો નાકામ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ ભારતના Operation Sindoor પછી પાકિસ્તાન સામે ભારતનું રક્ષાકવચ બનેલું S-400 એર ડિફેન્સ સિસ્ટમ (SAM), રુસથી આવેલી આ સિસ્ટમની શું છે ખાસીયત તે અંગે આપણે જાણીએ.

ઓપરેશન સિંદૂર બાદ બોખલાઈ ગયેલા પાકિસ્તાને બુધવારે રાતે ભારત પર હુમલાના અસફળ પ્રયત્ન કર્યા. 15 શહેર ટાર્ગેટ પર હતા. તેમાં ભારતના મુખ્ય સૈન્ય ઠેકાણાં પણ શામે હતા. આ S-400 SAM નો ગઈ કાલે પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો. ભારત તરફ આવતા ડ્રોન અને મિસાઈલનો ખાત્મો કરાયો હતો. રુસથી લાવવામાં આવેલી લોંગ રેન્જ એર ડિફેંસ મિસાઈલ સિસ્ટમ S-400 SAM દ્વારા પાકિસ્તાનથી આવતી કોઈપણ મિસાઈલને રોકવા માટે બોર્ડર પર તૈનાત ભારતનું સુદર્શન ખાસ ભૂમિકા ભજવી ગયું છે.

- Advertisement -

એર ડિફેંસ મિસાઈલ સિસ્ટમ કોઈપણ દેશ માટે એક રક્ષા કવચનું કામ કરે છે. તેની મદદથી સામે તરફથી આવતા મિસાઈલ, રોકેટ કે ડ્રોનને પહેલા જ ડિટેક્ટ કરી લેવાય છે અને તે પછી તે હથિયારને લોક કરાય છે એટલે કે તેની મૂવમેન્ટ લોક કરવામાં આવે છે અને પછી તેને મિસાઈલની મદદથી હવામાં જ ઠાર કરી દેવાય છે.

S-400 SAM લાંબા અંતરની ડિફેંસ સિસ્ટમ છે. તે જમીન પર તૈનાત હોય છે અને ત્યાંથી જ મિસાઈલ ફાયર કરી દુશ્મનના રોકેટ મિસાઈલને હવામાં જ ઠાર કરી દે છે. તેને 1980ના અંત સમયમાં વિકસિત કરવામાં આવ્યું હતું. તેને રુસમાં બનાવાયું હતું. બંને દેશો વચ્ચે પાંચ S-400 માટે 35000 કરોડ રૂપિયાની ડિલ 2018માં થઈ હતી. તેમાંથી ત્રણ S-400 પહેલા જ તૈનાત કરી દેવાયા હતા અને ચૌથું તેનાથી અંતમાં આવશે.

દરેક S-400 માં 16 વ્હીકલ હોય છે. જેમાં લોન્ચર, રડાર, કંટ્રોલ સેંટર્સ અને સહાયક વ્હીકલ્સ શામેલ હોય છે જે 600 કિમી દૂર સુધી હવાઈ જોખમને ટ્રેક કરી શકે છે. તેમાં ચાર પ્રકારની મિસાઈલ્સનો ઉપયોગ કરાય છે જે 400 કિમી સુધી ફાયર કરી શકે છે. તે ફાઈટર પ્લેન, બેલેસ્ટિક મિસાઈલ્સ અને ડ્રોનને રોકી શકે છે.

- Advertisement -

સામે પાકિસ્તાન પાસે શું છે?

પાકિસ્તાન પાસે એર ડિફેંસ માટે ચીનનું HQ-9 છે. તેની બાબત એવી છે કે ચીને તેને રુસના S-300 ના આધાર પર બનાવી છે. તે S-400થી નીચેના સ્તરની સિસ્ટમ છે. તે 200 કિમીના રડાર ડિટેક્શન રેન્જ સુધી રોકવામાં સક્ષમ છે.

ભારત પર સતત હુમલાના પ્રયાસ

- Advertisement -

પાકિસ્તાને ભારતના ઘણા સ્થાનો પર હુમલા કરવાના નિષ્ફળ પ્રયાસો કર્યા છે. પાકિસ્તાને રાત્રે 15 જેટલા સૈન્ય ઠેકાણાંઓ પર હુમલો કરવાના પ્રયાસો કર્યાના અહેવાલો સામે આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાનુસાર 7મી મે 2025ની રાત્રે ભારતના અવંતિપોરા જમ્મુ, પઠાણકોટ, શ્રીનગર, અમૃતસર, જસલંધર, લુધિયાણા, આદમપુર, કપૂરથલા, ફલોદી, નાલ, ભટિંડા, ચંદીગઢ, ઉત્તરલાઈ અને ભુજમાં ડ્રોન તથા મિસાઈલ છોડી હતી. જેને ડિફેંસ સિસ્ટમથી નાકામ કરવામાં આવી હતી.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular