નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સામે થયેલી કમિશનકાંડની અનેક ફરિયાદોની તપાસ ડીસીજીપી વિકાસ સહાય કરી રહ્યા છે, જો કે આ મામલે વિકાય સહાય પોતાનો રીપોર્ટ સરકારને સુપ્રત કરે તે પહેલા ગૃહ વિભાગના આદેશના પગલે ડીસીજીપી આશીષ ભાટીયા દ્વારા રોજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓની વિવિધ સ્થળે બદલી કરી દેવાનો આદેશ આપ્યો છે. હાલમાં સ્થિતિ પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ થઈ છે.
ડીજીપી આશીષ ભાટીયાના આદેશ બાદ થયેલી બદલીના આદેશ પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર
(1) વી કે ગઢવીની બદલી વડોદરા પોલીસ તાલીમ શાળામાં અને એસઓજી ઈન્સપેકટર
(2) આર વાય રાવલની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે જયારે સબ ઈન્સપેકટર
(3) પ્રવિણ ધાખડની વડોદરા શહેર
(4) વનરાજ જાડેજા સુરત શહેર
(5) મયુરધ્વજ ઝાલા રેલવે
(6) મહેશ રબારી રેલવે
(7) પુથ્વીરાજ જેબલીયા વડોદરા શહેર
(8) જયરાજ ખાચર કચ્છ
(9) અંસારી મહંમદ વડોદરા ગ્રામ્ય
(10) તુષાર પંડયા તાપી ખાતે બદલી કરવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












