નવજીવન ન્યૂઝ. જયપુર: ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસના આરોપીઓને શનિવારે કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આરોપીઓને NIA સ્પેશિયલ કોર્ટ, જયપુરમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી રિયાઝ, ઘોસ મોહમ્મદ, મોહસીન અને આસિફને કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. તેઓને એટીએસ હેડક્વાર્ટરથી વિશેષ કોર્ટમાં એકસાથે રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વકીલોએ કોર્ટ પરિસરમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વકીલોના વિરોધ દરમિયાન ફાંસીની માંગ પણ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ટોળાએ જયપુર કોર્ટની બહાર બંને આરોપીઓ પર હુમલો કર્યો હતો.
ટેલર કન્હૈયાલાલની નિર્દય હત્યાના કેસમાં આજે જયપુર કોર્ટની બહાર ટોળાએ બે આરોપીઓ પર હુમલો કર્યો હતો. 48 વર્ષીય કન્હૈયાલાલની મંગળવારે બે લોકોએ હત્યા કરી હતી, તેઓએ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. બાદમાં રિયાઝ અખ્તારી અને ઘોસ મોહમ્મદે અન્ય એક વિડિયો શેર કર્યો હતો જેમાં તેઓએ હત્યા અંગે બડાઈ કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાની ધમકી પણ આપી હતી.
#WATCH | Udaipur murder incident: Accused attacked by an angry crowd of people while being escorted by police outside the premises of NIA court in Jaipur
All the four accused were sent to 10-day remand to NIA by the NIA court, today pic.twitter.com/1TRWRWO53Z
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 2, 2022
કન્હૈયાની દુકાન પર રેકી કરવા અને તેમની હત્યા કરવાના કાવતરામાં કથિત રીતે સામેલ બે વધુ લોકોની પણ પાછળથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે આજે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (ANI)ને આરોપીઓની કસ્ટડી 12 જુલાઈ સુધી લંબાવવાની મંજૂરી આપી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












