Saturday, April 25, 2026
HomeNationalકેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દેશવ્યાપી દરોડાના બે રાઉન્ડ અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના 240 થી વધુ નેતાઓ અને પદાધિકારીઓની ધરપકડ પછી કેન્દ્રએ ગઈકાલે સાંજે સંગઠન પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. એક સરકારી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે PFI અને તેની સંલગ્ન સંસ્થાઓ અથવા મોરચાને તાત્કાલિક અસરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ “ગેરકાયદેસર સંગઠનો” જાહેર કરવામાં આવ્યા છે.

PFI પર પાંચ વર્ષના પ્રતિબંધ બાદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ટ્વિટ કર્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે બાય-બાય પીએફઆઈ. આ સિવાય તેમણે ગૃહ મંત્રાલયના નોટિફિકેશનની કોપી પણ શેર કરી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિતની સુરક્ષા એજન્સીઓએ ફરીથી આતંકવાદી ભંડોળ અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ની અન્ય પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, આસામ અને મધ્ય પ્રદેશમાં 230થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએ અને પોલીસની ટીમએ મંગળવારે વહેલી સવારથી પીએફઆઈના પરિસરમાં દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જે દિવસભર ચાલ્યું હતું. કર્ણાટકમાં સૌથી વધુ 80 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે યુપીમાં 57 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -

NIA દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉની કાર્યવાહી બાદ PFI દ્વારા દેશભરમાં પ્રદર્શનો અને આતંકવાદી કૃત્યો દ્વારા કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનું ષડયંત્ર હતું. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતિ ફેલાવવાની તૈયારીઓ કરવામાં આવી હતી. તેને જોતા આવા વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આસામ અને મહારાષ્ટ્રમાં 25-25 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં પણ 15 લોકો કસ્ટડીમાં છે. દિલ્હીમાં 32, મધ્યપ્રદેશમાં 21 અને ગુજરાતમાં 17 લોકો કસ્ટડીમાં છે. આ પહેલા 22 સપ્ટેમ્બરે થયેલી કાર્યવાહીમાં 16 રાજ્યોમાં 106 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ PFI સાથે સંકળાયેલી 19 FIR પર કાર્યવાહી કરી રહી છે. એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર, દરોડામાં ઘણા ગુનાહિત દસ્તાવેજો અને પુરાવા મળ્યા છે. આ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હીમાં પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે કાર્યવાહીની કમાન સંભાળી હતી. કાર્યવાહીના વિરોધમાં કોઈપણ હિંસા અટકાવવા અને શાંતિ જાળવવા માટે અર્ધલશ્કરી દળોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. શાહીન બાગ અને જામિયા નગર જેવા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, શાહીન બાગ અને નિઝામુદ્દીન સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 30 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તપાસ ચાલુ છે. નાસિક પોલીસની ક્રાઈમ બ્રાન્ચે PFI સાથે સંકળાયેલા હોવાના કારણે ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલના રાજ્ય પ્રમુખ મૌલાના ઈરફાન દૌલત નદવીની ધરપકડ કરી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular