નવજીવન ન્યૂઝ. પાટણ: Patan News : ગુજરાતમાં અકસ્માતોની વણજાર વણથંભી છે. રોજ રોજ અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ક્યારેક એક જ પરિવારના ત્રણથી ચાર વ્યક્તિઓ જ્યારે અકસ્માતમાં મોતને ભેટે છે, ત્યારે આખો પરિવાર વિખેરાઈ જાય છે. આવી જ એક ઘટના રાધનપુર-ભાંભર હાઈવે (Radhanpur-Bhabhar highway) પર બની છે અને અકસ્માતમાં (Road Accident) એકસાથે ચાર વ્યક્તિઓ મોતને ભેટવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પાટણના રાધનપુર-ભાંભર હાઈવે પર ગોજારો અકસ્માત સામે આવ્યો છે. કાર અને ટ્રેલર ધડાકાભેર અથડાયા છે, આ અકસ્માતમાં ચાર લોકો મૃત્યુ પામ્યા છે. અકસ્માતમાં 2 વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય બે વ્યક્તિઓ સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. આ અકસ્માતમાં એક પુરુષ અને બે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને પગલે હોસ્પિટલમાં લોકો એકઠા થયા હતા અને વાતાવરણ ગમગીન બન્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ખેરાલુ પાસેના દાસત ખાતે મીની ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના માતા-પિતા તથા પુત્ર મોતને ભેટ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યો મોતને ભેટતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મંદિરેથી પરત ફરતી વેળાએ મીની ટ્રકે બાઈકને ટક્કર મારતાં ત્રણ સભ્યો મોતને ભેટ્યા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








