નવજીવન ન્યૂઝ. જુનાગઢ: ગુજરાતમાં એક જ દિવસમાં ત્રણ વિવિધ સ્થળો અમદાવાદ સિવિલ હોસ્પિટલ, વડોદરા અને જૂનાગઢમાં અંગદાન થયું છે. રાજ્યમાં એક જ દિવસમાં ત્રણ સ્થળોએ અંગદાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. ઉપરાંત જુનાગઢમાં ઇતિહાસમાં પ્રથમ ઘટના બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિનું અંગદાન કરવામાં આવ્યું છે. જુનાગઢના બ્રેઇનડેડ મગનભાઇના અંગોને પ્રત્યારોપણ માટે “એર એમ્બ્યુલન્સ” મારફતે કેશોદ થી અમદાવાદ સિવિલ મેડિસીટીમાં લાવવામાં આવ્યા હતા.
જુનાગઢના વંથલી તાલુકાના રવની ગામના ૬૬ વર્ષના મગનભાઇ ગજેરાને બ્રેઇનસ્ટ્રોક આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા હોસ્પિટલના તબીબએ પરિવારજનોને અંગદાન અંગે સમજાવતા તેઓએ મગનભાઇના અંગોનું દાન કરવા માટે તૈયારી દર્શાવી હતી. બ્રેઇનડેડ મગનભાઇના બંને કિડની અને લીવરનું દાન મળ્યું. જેને કેશોદ થી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે લાવવામાં આવ્યું.
મગનભાઇ બ્રેઇનડેડ થતાં પરિવારજનો અંગદાન માટે તૈયારી દર્શાવતા તબીબોની સલાહ મુજબ મગનભાઇના શરીરમાંથી અંગ કાઢીને અન્યના શરીરમાં તાત્કાલિક ધોરણે પ્રત્યારોપણ કરવામાં આવે તો જ નવજીવન મળે તેમ હતું. જુનાગઢથી કેસોદ સુધી ગ્રીન કોરિડોર જાહેર કરીને અંગોને તાત્કાલિક ધોરણે અન્ય બે લોકોને નવી જિંદગી આપવા માટે એર એમ્બુલન્સ મારફતે ડોકટર સાથે અમદાવાદ લાવવામાં આવ્યા હતા.જો કે આ કામ માટે જુનાગઢ પોલીસની કામગીરી પણ એટલી જ મહત્વની રહી છે.

આ અંગે જુનાગઢના DySP પ્રદિપસિંહ જાડેજા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે, અંગોને તાત્કાલિક ધોરણે કેશોદ પહોંચાડવું તેમના માટે પણ એક પડકાર હતો. અગાઉ ક્યારેય જુનાગઢમાં ગ્રીન કોરિડોર જાહેર થયો ન હતો. ઉપરાંત જે રસ્તા પરથી ગ્રીન કોરિડોર પસાર થવાનો હતો સાકળો અને સિંગલ પડ્ડી જેવા રોડ હતો. બીજો પડકારએ હતો કે આ માર્ગ ઉપર એક રેલ્વ ફાટક પણ આવેલું છે. જે સમયે અંગોને લઈને પસાર થવાનું હતું તે જ સમયે ત્યાંથી રાજકોટ સોમનાથ જતી ટ્રેન પસાર થવાની હતી. જો ટ્રેન પરાસ થાય તો રેલ્વ ફાટક પર ટ્રાફિક સર્જાવાની સંભાવના રહેલી હતી. જેથી ગ્રીન કોરિડોર અંગેની જાણકારી રેલ્વેને આપવામાં આવતા DySP જાડેજાની વાતની ગંભીરતા સમજીને ટ્રેનને નજીકના સ્ટેશન પર થંભાવી દીધી હતી.
જુનાગઢ પોલીસે માત્ર 24 મિનિટ 12 સેકંડમાં જૂનાગઢથી કેશોદ એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવી ઓર્ગનને લઈ નીકળેલા ડોક્ટર અને એબ્યુલન્સ સહીસલામત પહોંચાડ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











