Thursday, June 25, 2026
HomeGeneralશું ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની અછત છે? ઇન્ડિયન ઓઇલ અને સરકારે...

શું ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની અછત છે? ઇન્ડિયન ઓઇલ અને સરકારે આપ્યો આ જવાબ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ શ્રીલંકાની જેમ ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ શકે છે, તેને લઈને અફવાઓનું બજાર ગરમ છે. આ અફવાઓને સખત રીતે નકારી કાઢતા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ભારતમાં તેલનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. તેલ કંપનીએ કહ્યું છે કે દેશના પેટ્રોલ પંપ પર સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશન સંપૂર્ણપણે સામાન્ય ચાલી રહ્યું છે અને તેમાં કોઈ પણ પ્રકારનું સંકટ નથી. પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ વચ્ચે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ જેવા રાજ્યો અને અમદાવાદ જેવા શહેરોમાં પેટ્રોલ પંપ્સ પર લાંબી કતારો જોવા મળી રહી છે, પરંતુ આ સ્થળોએ પણ તેલ પુરવઠામાં કોઈપણ વિક્ષેપને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ખોટો ગણાવ્યો છે.



ઘણા પેટ્રોલ પંપ પર બેકાબૂ ભીડને કારણે માલિકો તેને બંધ કરવાની પણ તૈયારીમાં આવી ગયા છે. કંપનીનું કહેવું છે કે ગભરાવાનું કોઈ કારણ નથી. રાજસ્થાનની રાજધાની જયપુર અને ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં પણ આવો જ નજારો જોવા મળ્યો હતો. આ પછી પેટ્રોલ પંપ એસોસિએશને પણ આ અહેવાલોને સંપૂર્ણ પાયાવિહોણા ગણાવતા સ્પષ્ટતા કરી છે. દહેરાદૂન પ્રશાસને પણ આ અંગે તપાસ શરૂ કરી છે અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.

ઈન્ડિયન ઓઈલના માર્કેટિંગ ડિરેક્ટર વી સતીશ કુમાર પણ આગળ આવ્યા છે અને કહ્યું છે કે સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. તેમણે કહ્યું કે રિટેલ આઉટલેટ્સ પર પુરવઠો સામાન્ય છે અને તમામ બજારોમાં સંપૂર્ણ ઉપલબ્ધતા છે. ઈન્ડિયન ઓઈલ ગ્રાહકોને સેવા આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

- Advertisement -

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા આ અંગે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. છતાં મંત્રાલયે માન્યું છે કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવાં કેટલાંક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની માગ વધી છે. પેટ્રોલ અને ડીઝલની ઉત્પાદન માગમાં ઉછાળાને પહોંચી વળવા માટેના પ્રયાસ કાર્યરત છે. જ્યારે માગમાં વધારો થવાનું કારણ કૃષિ પ્રવૃત્તિ જણાવાયું છે. ઓઈલ કંપનીઓએ ડેપો અને ટર્મિનલ પર સ્ટોક વધારીને આ સમસ્યાનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે.



ઇંડિયન ઓઇલ કોર્પોરેશનના માર્કેટિંગ ડાયરેક્ટર વી. સતિશકુમારે ટ્વિટ કરીને ગ્રાહકોને અપીલ કરી હતી કે, “પ્રિય ગ્રાહકો, આ ખાતરી કરવા માટે છે કે અમારા રિટેલ આઉટલેટ્સ પર ઉત્પાદનની ઉપલબ્ધતા એકદમ સામાન્ય છે. તમામ બજારોમાં પર્યાપ્ત ઉત્પાદન ઉપલબ્ધતા અને પુરવઠો છે. અમે તમને ગભરાશો નહીં તેવી વિનંતી કરીએ છીએ. ઇંડિયન ઓઇલ દરેક સમયે સેવા આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”


જ્યારે હિંદુસ્તાન પેટ્રોલિયમે પણ આ મુદ્દે ટ્વિટ કર્યું હતું કે, “HPCL દેશની સતત વધતી જતી ઇંધણની માંગને સંતોષે છે અને અમારી સપ્લાય ચેઇનમાં ઉત્પાદનની ઉપલબ્ધતાની ખાતરી આપે છે. અમારા આદરણીય ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. અમે બજારોમાં ઓટો ઇંધણના અવિરત પુરવઠા માટે પ્રતિબદ્ધ છીએ, જ્યાં અમારી પદચિહ્ન છે.”




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular