Monday, June 22, 2026
HomeGeneralBreaking : 70 પેસેન્જરને લઈ ભુજ આવેલા પ્લેનનું એન્જીનનું કવર ખુલી ગયું,...

Breaking : 70 પેસેન્જરને લઈ ભુજ આવેલા પ્લેનનું એન્જીનનું કવર ખુલી ગયું, જાણો પછી શું થયું…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છ : બુધવારે સવારે ભુજમાં લેન્ડ થયેલા પ્લેનનાં એન્જીન કવર ન હોવાને મામલે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તપાસ કરવામાં આવી છે. પ્લેનમાં ક્રુ મેમ્બર સહિત 70 પેસેન્જર સવાર હતા. મુંબઈથી ભુજ આવતી ધી એલિયન્સ એરની આ ફલાઇટ હતી.

- Advertisement -

ATR 72-600 નંબરવાળી આ ફલાઇટ બુધવારે સવારે સુરક્ષિત રીતે ભુજ એરપોર્ટ ઉપર ઉતરી ત્યારે પ્લેનનાં એન્જીનનાં કવર ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સંભવતઃ આ કવર મુંબઇ એરપોર્ટ ઉપર જ નીકળી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે ભુજ એરપોર્ટના ડિરેક્ટર નવનીત ગુપ્તાએ જણાવ્યું હતું કે, એન્જીન કવર જેને ટેક્નિકલ ભાષામાં કાઉલિંગ કહેવાય છે તે ન હોવાનું ધ્યાનમાં આવતા મુંબઇ જતી ફ્લાઈટને રોકી દેવામાં આવી છે.



એન્જીન કવર વિના જ પ્લેન છેક મુંબઈથી ભુજ આવી પહોંચવાની ઘટનાને DGCA દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે.

- Advertisement -


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular