નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmeadbad) આગામી સમયમાં રથયાત્રા (Rathyatra 2023) નિકળવાની છે. જેને લઈને પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ શંકાસ્પદ ગતિવિધી પર નજર રાખી રહી છે. ત્યારે અમદાવાદ SOGની (Ahmedabad SOG) ટીમે શહેરના જુદા જુદા વિસ્તારમાં દરોડો પાડી શંકાસ્પદ 18 બાંગ્લાદેશી (Bangladeshi) નાગરિકોની ધરપકડ કરી છે. અગાઉ ગુજરાત ATSએ પણ ગેરકાયદેસર વસવાટ કરતાં અને અલકાયદા ઈન્ડિયા જૂથ સાથે સંકળાયેલા 3 બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા હતા.
અમદાવાદ SOGની ટીમ આગામી રથયાત્રાના પર્વને ધ્યાનમાં લઈને જુદા-જુદા વિસ્તારોમાં રહેતા બાગ્લાદેશી નાગરિકોની તપાસમાં હતી. જેમાં SOGની પાંચ ટીમ અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરતા ઓઢવ સોનની ચાલી, ઘાટલોડિયા, ચાણક્યપુરી, જનતાનગર ફાટક, ઈસનપુર, ઝી હોટલની ગલીમાંથી કુલ 18 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા. જેમની અટકાયત કરીને SOGની કચેરીએ લાવીને પુછપરછ કરવામાં આવી હતી.
અમદાવાદ SOGએ ઝડપેલા 18 બાંગ્લાદેશી નાગરિકોની પુછપરછમાં સામે આવ્યું હતું કે, તેઓ પાસે ભારતીય નાગરિક હોવાનો કોઈ પુરાવો ન હતો. તેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી અહીંયા આવ્યા હોવાનું જણાવ્યું હતું. હાલ SOGએ ઝડપાયેલા તમામ બાંગ્લાદેશી નાગરીકોને ડિટેઈન કરીને વધુ તપાસ હાથ ધરી છે, સાથે અગાઉ ગુજરાત ATSએ પકડેલા અલકાયદા ઇન્ડિયાના જૂથ સાથે સંકળાયેલા બાગ્લાદેશી નાગરિકો સાથે આ 18 બાંગ્લાદેશી નાગરીકોનું કોઈ કનેક્શન છે કે નહી તે દિશામાં તપાસ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખની છે કે, અગાઉ શહેરના નારોલ વિસ્તારમાંથી ગુજરાત ATSએ ત્રણ શંકાસ્પદ બાગ્લાદેશી લોકોની અટકાયત કરી હતી. જેમની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. પકડાયેલા ત્રણ બાંગ્લાદેશી લોકો અલ કાયદા ઇન્ડિયાના પ્રતિબંધિત જૂથો સાથે સંકળાયેલા હતા. આ લોકો મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી વિચારધારા તરફ વાળી લોકોને સંગઠનમાં જોડાવાનું કામ કરતા હતા. તેમજ અહીંથી બાંગ્લાદેશના હેન્ડલરોને ફંડ પણ મોકલતા હતા. આ સમ્રગ બાબતે ગુજરાત ATSએ પર્દાફાશ કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. તેમજ આ રેકેટ હજુ કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથધરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796