Saturday, October 4, 2025
HomeGeneralઅમદાવાદ: વિપક્ષનેતા બનવા માટે રિસાયેલા કોર્પોરેટર્સના પાર્ટીએ મનામણાં કર્યા

અમદાવાદ: વિપક્ષનેતા બનવા માટે રિસાયેલા કોર્પોરેટર્સના પાર્ટીએ મનામણાં કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં એએમસી વિપક્ષના નેતા તરીકે શહેજાદખાન પઠાણનું નામ જાહેર થતાં તેમના જ પક્ષના 14 જેટલા કોર્પોરેટરે બળવો કરી રાજીનામું આપી દીધું હતું. આ કોર્પોરેટર દ્વારા અનેક આક્ષેપો કરવા છતાં પાર્ટી એકની બે ન થઈ. પરિણામે હવે ગુજરાત કોંગ્રેસને રિસાયેલા કોર્પોરેટર માટે બેઠક બોલાવીને સમાધાન કરવું પડ્યું હતું.


અમદાવાદમાં AMC વિપક્ષના નેતાનું પદ અંદાજિત એક વર્ષ સુધી કોઈને આપવામાં આવ્યું ન હતું. પરિણામે AMCની સામન્ય બેઠકમાં વિપક્ષના નેતા ન હોવાના કારણે ક્યારેક તેમની મજાક થઈ જતી હતી. ત્યારબાદ શહેજાદખાન પઠાણને વિપક્ષનેતા તરીકે જાહેર કરાતા તેમના જ પક્ષના કોર્પોરેટરે વિરોધ કર્યો હતો. ઉપરાંત પાર્ટીમાંથી રાજીનામા પણ આપી દીધા હતા. વિપક્ષના નેતાની નિમણૂક બાદ રિસાયેલા આ કોર્પોરેટર સામન્ય સભામાં જવાનું પણ ટાળતા હતા.

- Advertisement -

ગુજરાત કોંગ્રેસનો અંદરો-અંદરનો વિવાદ શાંત પાડવા માટે પાર્ટીએ ગઇકાલે 23 કોર્પોરેટર અને અમદાવાદના ચાર ધારાસભ્ય સહિત પાર્ટીના આગેવાનોની સમાધાન કરાવવા માટે મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ચાર બળવાખોર કોર્પોરેટેરોને એક-એક વર્ષ માટે વિપક્ષનેતા બનવાનું નક્કી કરાતા મામલો શાંત પડ્યો હતો. આગામી સમયમાં બોર્ડ બેઠકમાં હાજરી આપવા માટે પણ માનવી લીધા હતા.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular