નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા આજે સ્પેશિયલ ઓલિમ્પિક ભારત સંસ્થા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ એક અગત્યની જાહેરાત કરવા માટે કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા આગામી 7 એપ્રિલ- વિશ્વ આરોગ્ય દિવસે મનોદિવ્યાંગ વાયક્તિઓ માટે એક સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સમગ્ર દેશમાં આયોજિત થશે અને જેનું કેન્દ્ર ગુજરાત રહેશે. આ કેમ્પમાં સ્પેશિયલ ઓલિમ્પિક ભારત સંસ્થા એક વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત કરવા જઈ રહી છે. સંસ્થાની આ મુહિમમાં ભારત સરકાર અને ગુજરાતની રાજ્ય સરકાર પણ સંસ્થાને મદદ કરી રહ્યા છે.
સ્પેશિયલ ઓલિમ્પિક ભારત સંસ્થા છેલ્લા 20-21 વર્ષથી ભારતમાં દિવ્યાંગ બાળકો માટે કામ કરી રહી છે. સ્પેશિયલી એબલ્ડ ચાઇલ્ડને કેવી રીતે રમત ગમતના ક્ષેત્રમાં કેવી રીતે આગળ લાવવા તે ક્ષેત્રમાં આ સંસ્થા કામ કરી રહી છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન મહામારીના કારણે આવા માનસિક બીમાર વ્યક્તિઓની હાલત વધારે ખરાબ બની હતી, જેના કારણે હવે જ્યારે પરિસ્થિતી સુધારી છે ત્યારે આ સંસ્થા હવે ‘રિટર્ન ટુ પ્લે’ અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત 7મી એપ્રિલે એક કાર્યક્રમ આયોજિત કરવા જઈ રહ્યા છે.
આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશ માંથી 75000 દિવ્યાંગો અને ગુજરાતમાં અમદાવાદના 7500 અને સુરતના 2500 દિવ્યાંગો માટે કર્ણાવતી યુનિવર્સિટીમાં આરોગ્ય સીબીરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ આ દિવ્યાંગોને મોટેરા સ્ટેડિયમ લઈ જઈને ત્યાં તેમની પાસે ફિટનેસ ઇવેન્ટમાં એક સાથે આટલા દિવ્યાંગ એકત્રિત થવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા જઈ રહ્યા છે, જેના માટે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ આ કાર્યક્રમની સમિક્ષા કરવા માટે આવશે.
આજે પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાના પદાધિકારીઓ અજય પટેલ, રાકેશ શાહ – ધારાસભ્ય, ડી જી ચૌધરી, મુક્તા નારાયણ થીંડ, રોહન ભટ્ટ અને ભાવેશ પટેલ હજાર રહ્યા હતા. જેમાં સ્પેશિયલ ઓલિમ્પિક ભારત સંસ્થાના ઓલ ઈન્ડિયા સંચાલક મુક્તા નારાયણ થીંડે જણાવ્યુ હતું કે, આ કાર્યક્રમમાં ગુજરાત સરકારની મદદથી અમે આગામી સમયમાં માનોદિવ્યાંગો માટે રમત ગમતના ક્ષેત્રમાં આગળ લાવવા માટે આ મુહિમ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં અમે માનોદિવ્યાંગો માટે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે.
![]() |
![]() |
![]() |











