Tuesday, June 30, 2026
HomeGeneralગુજરાતમાં ફરીવાર શરૂ થશે પાટીદાર આંદોલન..? નરેશ પટેલ સાથે થયેલી મિટિંગ બાદ...

ગુજરાતમાં ફરીવાર શરૂ થશે પાટીદાર આંદોલન..? નરેશ પટેલ સાથે થયેલી મિટિંગ બાદ અલ્પેશ કથીરિયાએ આપ્યું આ નિવેદન

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટ: પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવા માટે ખોડલધામ ખાતે PAAS આગેવાન અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા, ધાર્મિક માલવીયા ઉપસ્થિતિ રહ્યા હતા. ગુજરાતમાં અગાઉ થયેલા પાટીદાર આંદોલનમાં યુવકો પર થયેલા કેસ પરત નહીં ખેચવામાં આવે તો હાર્દિક પટેલે ફરી એકવાર આંદોલનની ચીમકી અગાઉ આપી હતી.



ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં યોજવવા જઈ રહી છે. ચૂંટણી નજીક આવતા ગુજરાતના રાજકારણમાં રંગ બદલાતા દેખાઈ રહ્યો છે. આજે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે બંધ બારણે પાટીદાર નેતાઓની બેઠક પૂર્ણ થતા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જો પાટીદારો પર લાગેલા કેસ પાછા નહીં ખેંચાય તો 6 માર્ચથી ફરી પાટીદારો આંદોલન થશે. આ વાતનું સત્તાવાર સમર્થન દિનેશ બાંભણીયાએ મીડિયા સમક્ષ આપ્યું હતું. આ બેઠક બાદ PAASના નેતા અલ્પેશ કથીરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે , આજની બેઠકમાં અગાઉ થયેલા આંદોલન દરમિયાન શહિદ થયેલા પરિવારજનોને નોકરી આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બાબતે અગાઉ સરકાર સાથે નરેશ પટેલ અને અન્ય આગેવાનો દ્વારા કરવામાં આવેલી ચર્ચામાં 3 મહિનામં કેસ પરત ખેંચવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ હજી સુધી કેસ પરત ખેંચાયા નથી.

અલ્પેશ કથીરિયા વધુમાં જણાવ્યુ કે, આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પાસ અગેવાનોની મીટિંગ મળશે. ત્યાર બાદ આગામી કાર્યકર્મોની જાહેરાત કરવામાં આવશે. આ કાર્યક્રમો અંતર્ગતજિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદનપત્રો આપવામાં આવશે. ઉપરાંત સત્તામાં બેઠેલા પક્ષના નેતાઓને ગુલાબ આપવામાં આવશે.

- Advertisement -

બીજી બાજુ ગઈકાલે AAPના નેતા પ્રવીણ રામ અને નિખીલ સવાણી ખોડલધામના ચેરમેન નરેશ પટેલની મુલાકાતે રાજકોટ આવ્યા હતા. મુલાકાત બાદ પ્રવીણ રામે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી વચ્ચે માત્ર શુભેચ્છા મુલાકાત થઈ હતી અને સમાજ સેવાની વાત થઈ હતી. નરેશ પટેલ અમારી પાર્ટીમાં જોડાઈ તો અમારા માટે ગર્વની વાત કહેવાય.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular