Tuesday, April 21, 2026
HomeGujaratJamnagarJamnagar : રેલવે ટ્રેકમાં 'વેલ્ડ ફ્રેક્ચર' દેખાતા રેલવે તંત્રમાં દોડધામ, રિપેરિંગ બાદ...

Jamnagar : રેલવે ટ્રેકમાં ‘વેલ્ડ ફ્રેક્ચર’ દેખાતા રેલવે તંત્રમાં દોડધામ, રિપેરિંગ બાદ ટ્રેન વ્યવહાર શરૂ કરાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગર-લાખાબાવળ રેલ માર્ગ (Jamnagar-Lakhabaval railway line) પર આજે સવારે મોટી દુર્ઘટના થતાં અટકી છે. રેલવે કર્મચારીએ જામનગરના અંધાશ્રમ નજીક રેલવે ટ્રેકમાં અચાનક ‘વેલ્ડ ફ્રેક્ચર’ દેખતા રેલવે વિભાગમાં ભાગદોડ થઈ ગઈ હતી. રેલ માર્ગ પરથી પસાર થતી એક ગુડ્સ ટ્રેનને અટકાવી દઈ મોટી દુર્ઘટના થતા અટકાવી દેવામાં આવી છે.

પેટ્રોલિંગ કરી રહેલા રેલવે કર્મચારી અશોક કુમારને જામનગરના રેલવે ટ્રેકના પાટા તૂટ્યા હોવાનું આજે સવારે પોણા દસેક વાગે નજરે પડ્યું હતું. રેલ માર્ગ પર થયેલાં નુકસાન (weld fracture on rail track) ની રેલવે કર્મચારીએ તુરંત અધિકારીઓને જાણ કરી હતી. રેલ માર્ગ પરથી થોડીક જ મિનિટો બાદ એક માલગાડી પસાર થવાની હતી, જેને અટકાવી દેવાઈ હતી. રેલવેનો એન્જિનિયરિંગ સ્ટાફ અને ટેકનિકલ ટીમ તુરંત રેલવે ટ્રેક પર દોડી જઈ મરામત કરાયા બાદ રેલ વ્યવહાર પુનઃ સ્થાપિત કરાયો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular