Sunday, May 10, 2026
HomeGeneralPM મોદી સુરક્ષા મામલો: ગૃહ મંત્રાલયે 3 સભ્યોની તપાસ કમિટીની રચના કરી

PM મોદી સુરક્ષા મામલો: ગૃહ મંત્રાલયે 3 સભ્યોની તપાસ કમિટીની રચના કરી

- Advertisement -

નવજીવન નવી દિલ્હીઃ પંજાબ પ્રવાસ દરમિયાન બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ભંગનો મામલો ગરમાયો છે. પીએમની સુરક્ષા વ્યવસ્થામાં ખામીની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય (MHA) એ ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબની મુલાકાત દરમિયાન “સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ભૂલો”ની ત્રણ સભ્યોની સમિતિ તપાસ કરશે. સમિતિને વહેલી તકે અહેવાલ આપવાની સલાહ આપવામાં આવી છે.



કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને સુરક્ષામાં મોટી ભૂલ ગણાવી છે, જેણે VVIP માટે ગંભીર જોખમ ઉભું કર્યું છે.ત્રણ સભ્યોની સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવાલયના સચિવ (સુરક્ષા) સુધીર કુમાર સક્સેના કરશે. આ સમિતિમાં જોઈન્ટ ડાયરેક્ટર ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) બલબીર સિંહ અને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) IG એસ સુરેશ પણ સામેલ હશે.


ગૃહ મંત્રાલયની કમિટીની રચના એ ઘટનાના એક દિવસ બાદ કરવામાં આવી છે જ્યારે કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા રસ્તા રોકાવાને કારણે 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા બાદ પીએમ મોદીને પંજાબની મુલાકાતેથી પરત ફરવું પડ્યું હતું.
ભાજપે આરોપ લગાવ્યો છે કે પંજાબમાં સત્તારૂઢ કોંગ્રેસે વડા પ્રધાનને “શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ” કર્યો હતો. બીજી તરફ બચાવમાં આવેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આ ઘટના પાછળ સુરક્ષામાં કોઈ ખામી કે રાજકીય હેતુ હોવાની વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેમની સરકાર તપાસ માટે તૈયાર છે.


- Advertisement -

પંજાબની ચન્ની સરકારે વડાપ્રધાનની મુલાકાતમાં સુરક્ષામાં ખામીની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે. તપાસ ટીમ ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. પીએમ મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ સંદર્ભમાં, સુપ્રીમ કોર્ટમાં પીએમની સુરક્ષામાં ખામીની સંપૂર્ણ તપાસની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ અરજીકર્તાને અરજીની નકલ કેન્દ્ર અને પંજાબ સરકારને સોંપવા કહ્યું.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular