નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ તોડકાંડ કેસમાં આજે ભાવનગર કોર્ટ દ્વારા યુવરાજસિંહ જાડેજાના જામીન મંજુર કરવામાં આવ્યા છે. તોડકાંડ કેસમાં ભાવનગર પોલીસ દ્વારા 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ સહિત તેમના બે સાળાઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગર કોર્ટ દ્વારા અગાઉ યુવરાજસિંહના સાળા સહિત પાંચ લોકોના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. યુવરાજસિંહ સિવાય તમામ આરોપીના જામીન થતાં તોડકાંડ કેસમાં માત્ર યુવરાજસિંહ જ જેલમાં રહ્યા હતા. ત્યારે આજે યુવરાજસિંહના પણ જામીન મંજુર થતાં હવે તોડકાંડના તમામ આરોપીઓ જેલ મુક્ત થયા છે.
તોડકાંડ કેસમાં ભાવનગરની જેલમાં બંધ યુવરાજસિંહ જાડેજા દ્વારા 15 જુલાઈના રોજ ભાવનગરની કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. યુવરાજસિંહના વકીલ જે. એમ. લક્કડ દ્વારા જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, યુવરાજસિંહ જાડેજાને રાજકીય કિન્નાખોરી રાખીને કેસમાં ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે, તેમણે નિર્દોષ છે. યુવરાજસિંહની જામીન અરજી પર 18 જુલાઈ સોમવારના રોજ તપાસ અધિકારી દ્વારા કોર્ટ સોંગદનામું રજુ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે યુવરાજસિંહની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવતા કોર્ટે યુવરાજસિંહના જામીન મંજુર કર્યા છે.
તોડકાંડ કેસમાં ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજા, તેમના બે સાળા, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને રાજુ ઉર્ફે અલફાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ ભાવનગર કોર્ટ દ્વારા ક્રમશઃ રાજુ ઉર્ફે અલફાઝ ખાન પઠાણ, બિપિન ત્રિવેદી, ધનશ્યામ લાધવા, યુવરાજસિંહના સાળા કાનભા અને શિવુભા ગોહિલના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. જે બાદ યુવરાજસિંહ જાડેજાએ પણ કોર્ટમાં જામીન અરજી કરી હતી. ત્યારે આજે યુવરાજસિંહ જાડેજાના પણ જામીન કોર્ટે મંજુર કરતાં હવે તોડકાંડમાં તમામ લોકો જામીન થઈ ગયા છે.
ઈનપુટ: હઠીસિંહ ચૌહાણ
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








