Sunday, May 10, 2026
HomeGujaratઅમદાવાદમાં સી-પ્લેન સેવાને લઈને NSUIનો વિરોધ, રમકડાના વિમાન ઉડાવ્યા

અમદાવાદમાં સી-પ્લેન સેવાને લઈને NSUIનો વિરોધ, રમકડાના વિમાન ઉડાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં વર્ષ 2020માં આમદવાદથી કેવડીયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવા માટે તેવું પણ કહેવામા આવે છે કે આ પ્રોજેકટ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંથી એક પ્રોજેકટ છે. તેમ છતાં જે ગતિએ અમદાવાદમા આ પોરજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો તેના કરતાં વધુ ઝડપે અમદાવાદમાં સી-પ્લેન સેવા ઉપર તાળાં લાગી ગયા છે. આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે NSUIના કાર્યકર્તાઓ દ્વારા રમકડાના સી-પ્લેન ઉડાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અમદાવાદનાં આશ્રમ રોડ પર આવેલા વલ્લભ સદન નજીક રિવરફ્રન્ટ ઉપર આજે NSUI દ્વારા સી-પ્લેન સેવા પુનઃ શરૂ ન થતાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે NSUIના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, “શહેરમાં વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાય છે. શહેરમાં ખાડા અને રોડ રસ્તા તૂટેલી હાલતમાં છે, છતાં સરકારે જનતાના ટેક્ષના પૈસામાંથી સી-પ્લેન સેવા શરૂ કરી જે ફ્લોપ ગઈ છે જેથી અમે આજે નકલી પ્લેન ઉડાવી વિરોધ કરી રહ્યા છીએ.”

- Advertisement -

થોડા સમય અગાઉ ગુજરાતનાં ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીએ જાહેરાત કરી હતી કે અમદાવાદમા સી-પ્લેન સેવા ફરીથી શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને જૂન માહિનામાં આ સેવા પુનઃ શરૂ થઈ જશે. ત્યારે હવે જુલાઇ મહિનો પણ પૂરો થવા આવ્યો તેમ છતાં સી-પ્લેન સેવા શરૂ ન થતાં NSUI દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular