નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં મહેસુલ વિભાગમાં (Revenue Department) ફરજ બજાવતા 206 નાયબ મામલતદારોની (Deputy Mamlatdar) એક સાથે જિલ્લાફેર બદલી (Transfer) કરવામાં આવી છે. મહેસુલ વિભાગ દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા મહેસુલ વિભાગનાં 206 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગ હસ્તકની કચેરીઓમાં જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગના કર્મચારીઓ કે જેમને અન્ય જિલ્લાઓમાં સ્વ વિનંતીના કિસ્સામાં ફેરબદલી કરવામાં આવી છે.
ગુજરાતમાં મહેસુલ વિભાગ પ્રભાગ હસ્તકની કચેરીઓમાં જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર વર્ગ 3ના કર્મચારીઓએ સ્વ વિનંતીના કિસ્સામાં જિલ્લા ફેરબદલીથી નિમણૂક મેળવવા માટે તેઓના મુળ મહેકમના કલેક્ટરને કરેલી રજુઆત પરત્વે સબંધિત કલેક્ટર કચેરીઓ દ્વારા ધોરણસરની દરખાસ્ત રજુ થઈ હતી. આ બાબત સરકાર કક્ષાએ વિચારણા હેઠળ હતી. ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા 206 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જેના નામ નીચે મુજબ છે.







સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








