સાબરકાંઠા: ભારતની સરહદ કાજે સેવા આપનાર ગુજરાતમાં સૌથી વધુ સૈનિકો ધરાવનારા વિજયનગર છે. સાબરકાંઠાના વિજયનગરમાં આજે શનિવારે 1965-1971 તેમજ 1999ના યુદ્ધમાં ભાગીદાર બનેલા સૈનિકોએ એક બેઠક બોલાવી હતી, જ્યાં તમામ સૈનિકોએ એકરૂપ થઈ કોઈપણ સરહદે, કોઈપણ જગ્યાએ, કોઈપણ લડાઈ, લડવાની તૈયારી દર્શાવી છે. તેમજ સરકાર પાસે રાષ્ટ્રની સેવા માટે સહમતિ માંગી છે. કહ્યું છે કે બસ સરકાર આદેશ કરે અને અમે ભારતની સેવામાં લાગી જવા તત્પર છીએ.
સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં 1200થી વધારે સૈનિકો આજે પણ દેશની વિવિધ સરહદો ઉપર પોતાની ફરજ અદા કરી રહ્યા છે. તેમજ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા અત્યાર સુધીના ત્રણ યુદ્ધોમાં કેટલાય સૈનિકો ભાગ લઈ ચૂક્યા છે. અહીં યુદ્ધ દરમિયાન કેટલીય મહિલાઓ વિધવા થઈ છે.
ત્યારે આજે ફરી એકવાર સાબરકાંઠાથી સૈનિકોનો હુંકારો થયો છે. નિવૃત્ત સૈનિકો સહિત શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોએ એક બેઠક બોલાવી હતી, જે બેઠકમાં આવનારા સમયમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારની સહમતીની રાહ જોવા સાથે તત્પરતા દર્શાવવા સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી.
હાલના તબક્કે સૈનિકોનો જોમ જુસ્સો અને ઉત્સાહ ટોચ ઉપર છે, ત્યારે સાબરકાંઠાના વિજયનગરમાં થયેલી સૈનિકોની બેઠકમાં એક મત થઈ નિર્ણય લેવાય છે કે સરકાર આદેશ આપે તો આવનાર સમયમાં કોઈપણ સરહદે, કોઈપણ સેવા માટે તમામ નિવૃત્ત સૈનિકો ખડે પગે હાજર થશે.
પાકિસ્તાને ભારત સામે રૉકેટ લોંચર મિસાઈલ તેમજ ડ્રોન થકી યુદ્ધની શરૂઆત કરી છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધારે સૈનિકો ધરાવનારા વિસ્તારોના નિવૃત્ત સૈનિકોમાં ફરી એકવાર ગર્વ સાથે લાગણી જાગૃત થઈ છે.
આજે સ્થાનિક કક્ષાએ બેઠક બોલાવી તમામ નિવૃત્ત રાજ્ય સહિત કેન્દ્ર સરકાર પાસે યુદ્ધમાં ભાગીદાર બનાવવા રજૂઆત કરી છે. ભારત પાકિસ્તાન સામે થયેલા યુદ્ધના પગલે કેટલાય સૈનિકો વિજયનગર વિસ્તારમાંથી દેશભરમાં ફરજ બજાવે છે. ત્યારે આ વિસ્તારમાં આજે બેઠક બોલાવી હાલમાં શરૂ થયેલા યુદ્ધમાં સરકાર સામે યુદ્ધમાં ભાગીદાર થવાની પરવાનગી માંગી છે.
જોકે આજે શરૂ થયેલી બેઠક આવનારા સમયમાં કેટલી સફળ બની રહે છે એ તો સમય બતાવશે પરંતુ આવનારા સમયમાં નિવૃત્ત સૈનિકોનો જૂસ્સો ભારતીય સૈન્ય સહિત દેશ માટે કેટલો ઉપયોગી બની રહે છે તે પણ એટલું જ મહત્વનું છે.
નિવૃત્ત સૈનિક બચુભાઈ આર બરંડાએ કહ્યું કે, મારો એક પગ બીલકુલ આર્ટીફિશયલ છે, એકમાં રૉડ નાખેલો છે. છતાં હું આજે પણ તૈયાર છું મારામાં જુસ્સો છે. અગાઉની જંગમાં હું ઘાયલ થયો હતો. જોકે હું ડર્યો નથી. આજે જીવીત છું અને જો ભારત સરકારનો હુકમ મળે અને મારા બે પગ નથી છતાં પાકિસ્તાનના ભુક્કા ભુક્કા બોલાવી નાખું એટલું જોમ છે.
શહીદ વીરના પત્ની મણીબેન કહે છે કે, કારગીલમાં મારા પતિએ સેવા આપી હતી. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ છે તો પાકિસ્તાનને નષ્ટ કરવા માગતી હોય સરકાર તો અમને આદેશ આપે અમે પણ તૈયાર છીએ.
નિવૃત સૈનિક પ્રકાશભાઈ અસારીએ પણ હુંકાર ભરતા કહ્યું કે, અમે બોર્ડર પર પાકિસ્તાનને જેમ કારગીલ યુદ્ધમાં હરાવ્યું હતું તેમ બોર્ડર પર જઈ અત્યારે પણ ઓછામાં ઓછા સમયમાં પાકિસ્તાનને ઘુંટણીએ લાવવા તૈયાર છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર અમને આદેશ કરે, તો અમે વિજયનગરના માજી સૈનિકો યુદ્ધમાં ફ્રન્ટ લાઈન પર રહી પાકિસ્તાનને ટક્કર આપવા તૈયાર છીએ.
અહેવાલ અને વીડિયો સૌજન્ય- PRASAR BHARATI SHABD
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796